SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ધમને જય ૧૮૭: દરવાજા ઉઘાડ્યા એટલે, શ્રીપાલ રાજા પોતાની માતાના બંને ચરણમાં નમે છે. વિનયવાળી એવી પિતાની પત્નીને પણ પરમપ્રીતિથી બેલાવે છે. પછી માતાને ખભા ઊપર બેસાડીને તથા સ્ત્રીને હાથમાં પકડીને, શ્રીપાલ જા હારના પ્રભાવથી પિતાના તંબૂમાં આવ્યા. ત્યાં માતાને સિંહાસન ઉપર બેસાડીને, નમન કરીને, શ્રીપાલ રાજા બોલ્યા કેઃ “હે માતાજી! આપના ચરણ કમલના પ્રસાદથી ઉત્પન્ન થએલું આ બધું ફલ છે. ” ત્યારપછી શ્રીપાલ રાજાની આઠે સ્ત્રીઓ પિતાની સાસુજીના તથા મેટી બહેન મયણાસુંદરીના ચરણોમાં નમન કરે છે. આનંદિત થએલી એવી તે બને-સાસુ અને વહૂએ તે સર્વની પ્રશંસા કરી. પછી મદનમંજૂષાએ શ્રીપાલરાજાનું શરૂથી અત્યારસુધીનું વૃત્તાંત બંનેને કહી સંભળાવ્યું. પછી રાજા તે સ્ત્રીઓને આનંદથી વસ્ત્રો, આભૂષણો, ઉત્તમ પરિવાર અને દરેકને એકેકું નાટક આપે છે. ત્યારપછી મયણાસુંદરીને પૂછયું કેઃ “હવે તારા પિતાને અહીં કેવી રીતે બેલાવું?” મયણાસુંદરીએ કહ્યું કે “પિતાના ખભા ઊપર કુહાડે લઈને તે આવે, તેવી રીતે બોલાવે.” - શ્રીપાલરાજાએ દૂતના મુખથી જ્યારે તે પ્રજાપાલ રાજાને તેમ કરવા કહેવડાવ્યું, તે વખતે માલવરાજા ક્રોધાયમાન થશે. તે વખતે મંત્રિએ તેને સમજાવ્યું કેઃ “હે સ્વામી ! પિતાનાથી અધિકની સાથે કેઈપણ રીતે વિરોધ કરે નહિ. [જે પ્રબળ પ્રતાપવંત છે તેના તરફ કેપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy