SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ઉયિની તરફ પ્રયાણ ૧૮૩ મૂકીને દેખાડી. તે વખતે શ્રીપાલ રાજાએ પિતાના કંઠમાં પહેરેલા હારનું જલ તેણીના શરીર ઉપર છાંટયું. તે હારના જલના પ્રભાવથી તરત જ તે રાજકુમારી જાણે ઉંઘમાંથી જ ઊઠી હેય નહિ, તેમ તરત બેઠી થઈ ગઈ તે રાજકુમારી મનમાં આશ્ચર્ય પામીને જ્યારે કહેવા લાગી કેઃ “હે પિતાજી ! આ બધા લેકે અહીં શા માટે એકઠા થયા છે?” તે વખતે આનંદિત થએલે મહસેન રાજા બોલ્યા કે “હે વત્સ! જે આ (શ્રીપાલ) મહારાજા મહેરબાની કરીને, આ વખતે અહીં ન આવ્યા હતા તે કેણું જાણે તારી શું દશા થાત ? આ ઉત્તમ પુરુષે આજે તને જીવતદાન આપ્યું છે, કે જેણે આ ચિતા ઊપરથી ઉતારીને તેને ઊઠાડેલી છે.” તે સાંભળી તેણીએ પોતાના મનરૂપી સમુદ્ર પ્રત્યે ચંદ્ર સરખા એવા તે શ્રીપાલ રાજાને આનંદ સહિત સનેહવાળી મુગ્ધદષ્ટિથી જોયા. પછી મહસેનરાજા શ્રીપાલરાજાને કહે છે કેઃ “હે સ્વામી! તમેએ અમેને જીવિતદાન આપ્યું છે, માટે અમને જીવિતથી પણ અધિક વહાલી એવી અમારી આ કુંવરીને પણ તમે ગ્રહણ કરો.” એમ કહી રાજાએ પિતાની કન્યા તે રાજાધિરાજ (શ્રીપાલ) ને આપી. શ્રીપાલે પણ તરત જ તેણની સાથે ત્યાં જ પાણિગ્રહણ કર્યું. એવી રીતે શ્રીપાલરાજાને તે તિલકસુંદરી વગેરે આઠ મનહર સ્ત્રીઓ હતી, તે પણ જેમ આઠ દિશાએથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy