SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસનતકુમારની કથા ૯૫ રૂપ જોવા આવ્યા. તે વખતે મનમાં ખેદ પામીને માથુ ધૂણાવવા લાગ્યા. ચક્રવર્તીના પૂછવાથી દેવાએ કહ્યું કે • તમારું શરીર હુમાં રાગથી ઘેરાઇ ગએલું હોવાથી પહેલાનું રૂપ પલટાઈ ગયું છે.’ આ પ્રમાણે કહી સ્વસ્થાનકે ગયા. સનત્કુમારે યૌવર્નાદને અસ્થિર જાણી વિજય ધર સૂરિ પાસે દીક્ષા લીધી. તેના ઉપરના અનુરાગથી સૈન્ય પ્રમુખ પરિવાર તેમની પાછળ પાછળ છ મહિના સુધી કર્યાં, સનત્કુમારે પાછું વાળીને પણ તેની પાછળ જોયું નહિ. પછી સહુ પેાતપેાતાને સ્થાને ગયા. હવે ચક્રવર્તીના શરીરમાં ધીમે ધીમે રાગેાની વૃદ્ધિ થતાં બહુ મોટા રાગેા ઉત્પન્ન થયા. તે રાગૈા સાતસેા વર્ષ પર્યંત ભાગવતાં છતાં બહુ જ કઠણ તપસ્યા કરવા લાગ્યા, તપસ્યાના પ્રભાવથી અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ. વળી પહેલાંની માફક સૌધર્મ કે ઈંદ્રસભામાં સનત્કુમાર સાધુના તપની તથા તેમની કષ્ટ સહન કરવાની શકિતની પ્રશંસા કરી. તે ન માનતાં કરી દેવતાએ આવી પરીક્ષા કરવા માટે અનેક જાતના ઉપચારા બતાવ્યા. પરંતુ મુનિશ્વર જરાએ ચલાયમાન થયા નહિ, અને કષ્ટ સહન કરવા લાગ્યા. દેવતા છેવટે થાકીને ફૂલની વૃષ્ટિ કરી મુનિને વંદન કરીને સ્વસ્થાનકે ગયા. અંતિમ અવસ્થાએ અનશન કરીને સનત્કુમાર મુનિ સાત સાગરોપમની આયુષ્ય સ્થિતિવાળા ત્રીજા દેવલાકે દેવતા થયા. દેવસ્થિતિ પૂર્ણ થયે મનુષ્ય તથા દેવના કેટલાક ભવ કરી અનુક્રમે કેવલજ્ઞાન ઉપાર્જન કરીને મેક્ષ સુખને પ્રાપ્ત કરશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005178
Book TitleKatha Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy