________________
૫૬
કથામંજરી-૨ વિદ્યાદેવીઓ કહેવા લાગી કે તારા શરીરમાં એવું કેઈ સ્થાન દેખાડ કે જ્યાં અમે સોળે વિદ્યાદેવીઓ રહી શકીએ ! સાત્યકીએ પિતાનું મસ્તક દેખાડ્યું. તે વખતે દેવીઓએ લલાટમાં છિદ્ર પાડી તેના શરીરમાં પ્રવેશ કર્યો. તે છિદ્રના સ્થાનકે ત્રીજું નેત્ર બનાવ્યું.
એક વખત સાત્યકીએ વિચાર્યું કે મારા પિતા પેઢાલે મારી માતા સાથ્વીની જગતમાં નિંદા કરાવી છે, એ પ્રમાણે ક્રોધ કરીને પેઢાલને મારી નાખે. આ સમાચાર કાલસંવર વિદ્યાધરે સાંભળ્યા; તેથી તે પણ ત્યાંથી પલાયન થઈ ગયે. તેની પાછળ સાત્યકી દેડ્યો. કાલસંવરે આકાશમાં ત્રણ નગરીની રચના કરી ઘણુ વખત સુધી યુદ્ધ કર્યું, તે પણ આખરે સાત્યકીએ તેને મારી નાખે.
પછી સાત્યકી મન્દમત્ત થઈને પિતાની વિદ્યાઓના બળે અનેક પરસ્ત્રીઓને ભેગવવા લાગે. સાધુને યોગ થવાથી મિથ્યાત્વ છોડી ક્ષાયિક સમકિત પામે. ત્રણ વખત જિનેશ્વર ભગવંતની પૂજા કરવા લાગ્યું. એક વખતે તે ઉજજયણી નગરીને રાજા ચંડપ્રદ્યોતના અંતઃપુરમાં પેઠે. પરંતુ વિદ્યાના બળે તે નજરે દેખાતો નહિ હોવાથી રાજાએ દરબારમાં કહ્યું કે કઈ સાયકીને મારનાર છે? તે વખતે ઉમયા નામની ગણિકાએ રાજા આગળ સાત્યકીને મારી નાખવાની કબુલાત આપી. સાત્યકીનો વિશ્વાસઘાત કરી ઉમયાએ તેને મારી નખાવ્યો.
આ પ્રમાણે ઇંદ્રિય લોલુપપણાથી બલવાન એવા સાત્યકીને નાશ થયે. તે માટે ઇંદ્રિય વશ રાખવી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org