________________
કથામંજરી-૨ રાજા બોલ્યા કે “હે દેવી! મને દેખી તમે બેભાન કેમ થયા?” તે સાંભળી રાણી પણ બુદ્ધિશાળી હવાથી બેલી કેઃ “હે સ્વામી! તમે જે વખતે દેશાંતર ગયા હતા, તે વખતે મેં નેત્રદેવીને કહ્યું હતું કે જે રાજા કુશલક્ષેમ ઘેર પાછા આવશે, તો હે કુલદેવી! હું તમારી પૂજા કર્યા વિના રાજા સામું જોઈશ નહિ. તે ભૂલી જઈને મેં તમારા સામું જોયું એટલે મારા ઉપર દેવીને કેપ થયે છે, માટે હવે દેવીની પૂજા કર્યા વિના તમારી સામે જોઈશ નહિ.” આ સાંભળીને બનાવટી રાજા પા છે દરબારમાં જઈને બેઠે.
હાથીના ખાળીયામાં રહેલા વિક્રમ રાજાએ તેને જે. તે વખતે તે મનમાં ચિતવવા લાગ્યો કે આ પાપી બ્રાહ્મણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, પરંતુ એનું ભલું નહિ થાય. મને ગુરુએ વાર્યો હતો તો પણ એને વિદ્યા અપાવી તેનું ફલ તેને વિશ્વાસ કરવાથી મને મલ્યું. કહ્યું પણ છે કે –
मित्रद्रोही कृतघ्नश्च, यश्चविश्वासघातकः । त्रयोऽपि नरकं यांति, यावच्चंद्रदिवाकरौ ॥ १॥
મિત્રદ્રોહી, કૃતન અને વિશ્વાસઘાતી; આ ત્રણે જણું હિંમેશાં નરકે જ જાય છે. હું પંડિત મૂર્ણ થયે, મારું ભાગ્ય વાંકું હોવાથી મને દુબુદ્ધિ સુઝી. ભલું કરવા જતાં માઠું થયું. કહ્યું પણ છે કે –
" दैवे वक्रे भवेत्पुंसां, सुकृतं दुष्कृतोपमम् । न सिद्धति स्वकार्याणि, विधिना रचितान्यपि ॥१॥
જે પુરુષનું ભાગ્ય વાંકું હોય, તેને કરેલું સારું કૃત્ય પણ દુષ્કૃત્ય થઈ જાય છે, તેનું કઈ પણ કાર્ય તે બરાબર કર્યું હોય તે પણ સિદ્ધ થતું નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org