________________
શ્રીભરત ચક્રવતીની કથા
૧૭
ભરતને પુત્ર સૂર્યયશા થયેા, તેણે પણ ભરતની માફ્ક જ શ્રી સંઘની ભક્તિ કરી. તેમનો પુત્ર મહાયશ, તેમનો પુત્ર અતિખલ, તેમનો પુત્ર અલભદ્ર, તેમનો પુત્ર અલવીર્ય, તેમનો પુત્ર કૃતવીર્ય, તેમનો પુત્ર જલવી, તેમનો પુત્ર આઠમી પાટે દંડવીર્ય થયા. આ આઠે ત્રણ ખંડના ભેાક્તા થયા અને ચતુર્વિધ શ્રીસંઘની ભક્તિ કરનારા થયા.
ભરત ચક્રવર્તીની પછી છ ક્રોડ વર્ષે ગયાં, તે વખતે સૌધર્મેન્દ્રે અધિજ્ઞાનથી દંડવીર્યની સંઘભક્તિ જોઈને તેની પરીક્ષા કરવા માટે અચેાધ્યા આવ્યેા. પેાતે યજ્ઞોપવિત ધારણ કરીને શ્રાવકના માર વ્રતનાં બાર તિલક કર્યાં. તે વખતે દંડવીર્ય રાજાએ ઈંદ્રને શ્રાવક રૂપે દેખ્યા. તે દેખીને આનંદિત થયેા. પછી જમવાનું આમંત્રણ આપ્યું, અને રસઈયાને કહ્યું કેઃ– આ સાધર્મિકને રૂડી રીતે જમાડો, ’
ઈંદ્ર પણ શ્રાવકરૂપે ઘરમાં આવ્યેા. પચ્ચખાણ યારીને શ્રાવકાની પંગતમાં જમવા બેઠા. એક કરોડ શ્રાવકને જમાડે એટલું તે એકલેા જમી ગયા. વળી રસાઈયાને કહ્યું કે હું ભૂખ્યો છું, માટે મને ખાવા આપે.
રસેાઈયાએ આ સર્વ વૃત્તાંત રાજાને કહ્યો, રાજા ત્યાં આવ્યેા. શ્રાવકરૂપધારી ઇંદ્રે કહ્યું કે આ રસેાઇ કરનાર સર્વને ભૂખ્યા રાખે છે. રાજાએ પાછું સે। મૂડા ધાન્ય સઁધાવી પીરસ્યું. તે પણ તરતજ જમીને કહેવા લાગ્યા કે હું હજી ભૂખ્યો છું.
રાજા મનમાં ખેદ કરવા લાગ્યા કે મારાથી સંઘની સંપૂર્ણ ભક્તિ થતી નથી, માટે મને ધિક્કાર છે. સેવકો બાલ્યા કે:“ હે મહારાજ આ કોઈ દેવસ્વરૂપી છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org