________________
૨૩૪
કથામંજરી-૨ તેને ચંડા અને પ્રચંડા નામની બહુ જ કજીયાર બે પત્નીઓ હતી. તેઓના હમેશાંના કયાથી તે કંટાળી ગયે હતા. તે ગામની નજીકમાં એક નદી હતી, તેમાં હમેશાં નિર્મળ પાણી વહેતું હતું. તે નદીના બંને કિનારા ઉપર બંગાળદેવનાં બે મકાન હતાં. ચંડાને નદીના આ કિનારા ઊપરના મકાનમાં અને પ્રચંડાને નદીના સામે કિના
ના મકાનમાં રાખી હતી, અને બંનેને ઘેર વારાફરતી એકેક દિવસ ભજન, વિલેપન, શયન વગેરે તે કરતે હતે.
એક વખત પ્રચડાને ઘેર બે દિવસ રહ્યો. ત્રીજા દિવસે તે ચંડાના ઘરના દરવાજા પાસે આવ્યું, ત્યારે તે પાણીમાં સાંબેલા વડે દાણા ખાંડતી હતી. બંગાળદેવને આવતે દેખીને વારાનું ઉલ્લઘન થવાને લીધે ક્રોધે ભરાએલી તે સ્ત્રીએ સાંબેલું મંતરીને તેના તરફ ફેંકયું. તે સાંબેલું સર્પનું રૂપ ધારણ કરીને બંગાળદેવની તરફ આવ્યું, એટલે તે ત્યાંથી પ્રચંડાના ઘરતરફ દેડ્યો.
આગળ બંગાળદેવ અને પાછળ સર્ષ ચાલ્યો. વિસ્તારવાળી નદી ઓળંગીને તે સામે કાંઠે પહોંચ્યા. સર્પ પણ તેની પછવાડે પાણીમાં પડયો. તે માટે બંગાળદેવે પિતાનું વસ્ત્ર પહેળું કરીને તેના ઉપર નાખ્યું. તે વસ્ત્રથી ઢંકાઈ જઈને સર્પ મૂઢ થઈને ઊભે રહ્યો. તેટલામાં તે વાણી દેડીને પ્રચંડાના ઘર સુધી પહોંચી ગયો. તે વખતે તે ધેકા વડે કપડાં ધોતી હતી.
તેણીએ પૂછ્યું કે–“નાથ ! તમે નાસિકા પૂરેપૂરી ભરાઈ ગઈ છે, તેવી રીતે શ્વાસ લેતા, હાંફતા હાંફતા, વિખરાઈ ગએલા કપડાંવાળા, પરસેવાથી રેબઝેબ થઈ ગએલા, બહુ જ ઉતાવળથી દેડતા દેડતા કેમ આવ્યા?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org