SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શહિણીયા ચારની કથા ૯ નીકળીને રાજગૃહ નગર તરફ જતા હતા. રસ્તામાં સમવસરણ દેખી તે ચિંતવવા લાગ્યા કે આ માર્ગે જતાં મારાથી મહાવીર પ્રભુનું વચન જરૂર સંભળાશે, અને તે પિતાની પાસે લીધેલી પ્રતિજ્ઞાના ભંગ થશે; અને જો બીજા રસ્તે થઈને જઇશ તે બહુ જ વખત લાગશે, તેમ ગયા વિના ચાલે તેવું નથી. તેથી તે પેાતાના બંને કાનમાં આંગળા ઘાલીને, મને પગરખાં હાથમાં લઇને એકદમ દોડવો અને સમવસરણ નજીક આવી પહાંચ્યા કે તેના પગમાં તે જ વખતે કાંટા વાગ્યા. તે કાંટાને પગમાંથી કડ્ડાડવા માટે કાનમાંથી આંગળી કહાડીને નીચે નમ્યા, તે વખતે સર્વ સ ંદેહોનું છેદન કરનારી પ્રભુ શ્રીવીરની અમૃતતુલ્ય એવી વાણી તેના સાંભળવામાં આવી. તે વખતે પ્રભુ દેવતાના સ્વરૂપનું વર્ણન કરતા કહેતા હતા કે “ દેવાના શ્વાસેાશ્વાસ સુગંધવાળા હાય છે. દેવાનું શરીર વાળ, માંસ, નખ રૂધિર, મૂત્ર તથા વિષ્ટા વગરનું હોવાથી નિર્મલ હોય છે. દેવા એક જ અંતર્મુહૂત્ત માં યુવાન અવસ્થામાં જ ઉત્પન્ન થાય છે (એ ચિત્ર ૪); વળી તેઓ હમેશાં યુવાન જ હોય છે. અને સવ શરીરે ભૂષણ ધરનારા હોય છે. તેઓની ચક્ષુ બંધ થતી નથી, તેઓના ગળાની માળા કરમાતી નથી; વળી તેઓ જમીનથી ચાર આંગળ અદ્ધર રહેલા હોય છે અને જમીનને અડીને ચાલતાં નથી. ’’ આ શબ્દો ભૂલવા કાંટા કહાડતી વખતે સાંભળેલા માટે તેને ઘણા પ્રયત્ન કર્યાં, તે પણ તે શબ્દો તે ભૂલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005178
Book TitleKatha Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy