________________
૧૨૦
કથામંજરી-૨
વસ્ત્રની પહેરામણી કરીને વિદાય કર્યો. સામંત પણ રાજાની રજા લઈ પોતાના ગામ પાઇ ગયા.
પૃથ્વીતિલક નગરના ઉદ્યાનમાં એક વખત ચાર જ્ઞાનવાળા શ્રતસાગર નામના આચાર્ય પધાર્યા. તે સાંભળી રાજા પરિવાર સહિત તેમને વંદન કરવા ગયો. દેશના સાંભળ્યા પછી ધર્મસિહે પૂછયું કે હે મહારાજ ! આ મારા અભયસિંહ પુત્ર એવું તે શું પુણ્ય કીધું છે કે જેનાથી એ મેટ સાહસિક થયે છે? અને નાના પુત્ર ધનસિંહે એવું તે શું કર્મ કીધું છે કે જેથી તે મહા બીકણ થયે છે?
ગુરુએ કહ્યું કે આજ નગરમાં એક પૂરણ અને બીજે ધરણ, એ નામના બે ભરવાડ હતા. તેમાં જે પૂરણ હતું તે ઘણે દયાળુ અને ધર્માત્મા હતું. તે સર્વ જીવોની રક્ષા કરતા અને કેઈને પણ ત્રાસ આપતે નહિ. બીજો જે ધરણ હતો તે તે કૂકડા, સૂડા, તેતર, હરણીયાં વગેરે જેવાને પકડીને બાંધી રાખે, ત્રાસ આપે, કેઈનું કહ્યું માને નહિ. તેથી તેને પૂરણે ઘરથી જૂદે કાઢી મૂક્યો. જીવરક્ષાના પુણ્ય કરીને, પૂરણને જીવ તે તારે અભયસિંહ નામને શૂરવીર અને ભાગ્યવંત પુત્ર થયેલ છે. અને ધરણને જીવ ઘણું જીને દુભાવતો હતો તે મરીને, તારે ધનસિંહ નામને બીકણું નાને પુત્ર થયું છે. આ પ્રમાણે પિતાને પૂર્વભવ સાંભળીને બધાએ શ્રાવક ધર્મ અંગિકાર કર્યો. ધર્મારાધન કરીને પિતા તથા બને પુત્રો, ત્રણે જણ મરણ પામીને દેવલેકમાં ઉત્પન્ન થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org