________________
કથામંજરી-૨ હસ્તિનાપુર નગરમાં સુનંદ રાજા રાજ્ય કરતો હતો. તે ગામમાં ગાયને બેસવા માટે લોકેએ એક માંડ કરાવેલો હતો. તે માંડવામાં બહાર જંગલમાંથી ઘાસ વગેરે ચરીને, પાણી પીને સાંજના વખતે ગાયો માંડવામાં આવીને સુખે બેસતી હતી. તે ગામમાં એક ભીમ નામને પુરુષ હતું, તેને ઉત્પલા નામની સ્ત્રી અને નેત્રાસ નામને એક પુત્ર હતો. તે ત્રાસ બાલપણથી જ મહાદુષ્ટ, નિર્દયી, પાપી અને જીવને ઘાત કરતા હતા.
એક વખતે રાત્રિના સર્વ લેક સૂઈ રહ્યા પછી, તે ગોત્રાસ પોતાના હાથમાં કાતી લઈને ગાના માંડવામાં આવ્યો. તેમાંથી કેટલીક ગાયના પૂછડાં, કાન, નાક, હેઠ, જીભ, આંચળ, પગ વગેરે અવયવે કાતથી છેદી નાખ્યા. આ પ્રમાણે અઘોર પાપ કરીને, પાંચ વરસનું આયુષ્ય ભેગવી, મરણ પામીને બીજી તરકે ઉત્પન્ન થયો. કહ્યું પણ છે કે –
ઘાડા બળદ સમારીયા, કીધા જીવ વિનાશક પુણ્યવિહૂણુ જીવ તે, પામે નરક નિવાસ-૧
પછી તે ગોત્રાસનો જીવ નરકમાંથી નીકળીને વણિકગામના સુમિત્ર શેઠની સુભદ્રા નામની વાંઝણી સ્ત્રીના ઘેર પુત્રપણે ઉત્પન્ન થયેલ છે. તેને જમતાં જ ઉકરડામાં ફેંકી દીધું હતું. વળી ત્યાંથી પાછા લાવીને એનું ઉક્ઝિત નામ પાડવામાં આવ્યું છે. તે મોટો થયો, એટલે સુમિત્ર શેઠ તેને સાથે લઈ ધન ઉપાર્જન કરવા વહાણમાં પરદેશ ગયા. રસ્તામાં કર્મવશે વહાણ ભાંગી ગયું, સુમિત્ર શેઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org