________________
E
એક ડોશીની કથા
૨૭
પ્રભુ મહાવીર જ્યારે છદ્મસ્થ અવસ્થામાં વિચરતા હતા, ત્યારે એક નગરમાં એક પુણ્યવાન સ્ત્રીએ લઘુકમપણાથી, શ્રદ્ધા સહિત પ્રભુ મહાવીરને મિષ્ટાન્ન વગેરે વહરાવ્યું. તે વખતે પ્રમુદિત થએલા દેવેએ તે ઠેકાણે સાડા બાર કોડ સોનૈયાને વૃષ્ટિ કરી. આકાશમાં દેવદુંદુભિના નાદ વગેરે થયા, અને “અહી દાન! અહે દાન!” એવી ઉદ્દઘોષણા કરીને દેવતાઓ પોતાના સ્થાને ગયા.
તે સ્ત્રીની પાડોશમાં રહેનાર એક ડેશીએ. આ બધું જોયું. તેથી તેણીએ વિચાર કર્યો કેઃ ધન મેળવવાને આ બહુ જ સારો ઉપાય છે.” આવો વિચાર કર્યા પછી પાંચ સાત દિવસ ગયા, એટલે એક લંગોટી માત્ર પહેરનાર પણ મૂળ તથા ઉત્તર ગુણે રહિત, હમેશાં વિકથા કરનાર, હાસ્યાદિ વિદ જેને પ્રિય છે, તેવા એક તાપસને તેણે ભિક્ષા માટે આમંત્રણ આપ્યું, અને અન્નપાનાદિકથી તેને પ્રતિલાભવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org