________________
નિરંકુશ ગુરુને દમનાર યજમાનની થા
તેણે કહ્યું કેઃ “મારી પુત્રીએ છે.” ગુરુએ કહ્યું કે: “તા તે બંને મને આપ.” આ સાંભળીને શેઠને ખેદ થયા, અને તેણે કહ્યું કેઃ “ગુરુજી! આપના જેવા પ્રતિષ્ઠિત પુરુષાને આવી વાતનું ચિંતવન પણ કરવું યેાગ્ય નથી, તે પછી પ્રગટ રીતે આવી ખાખત કેવી રીતે કહી શકાય?”
ગુરુએ કહ્યું કે: “જો તું તારી પુત્રીએ મને નહિ આપે તે હું આપઘાત કરીને, મારી હત્યાનું પાપ તને આપીશ . માટે કન્યાએ મને અવશ્ય આપ, નહિં તે હું અહીંથી ઉઠીશ જ નહિ.”
૭૫
આવે તેના કદાગ્રહ દેખીને હાથમાં ધૂળ લઇ તે શેઠે ગુરુને કહ્યું કે: “ભગવન્! મારે તમને ના આપવા લાયક કાંઇ નથી; પણ લેાકેાની સમક્ષ મારી કન્યાએ આપતાં મને શરમ આવે છે. હાલ તા તમે તમારા મઢમાં જાએ. તેની પાસે નદી છે. તે નદીના પૂરમાં એક પેટીમાં તે અને કન્યાઓને પૂરીને આવતી કાલે સવારે હું મૂકીશ તે તમે લઈ લેજો. આ બાબતમાં જરા પણ સંદેહ રાખશે. નહિ.” જડબુદ્ધિ વાળા તાપસ તે હકીકત સાંભળીને પેાતાના મડમાં ગયા. આખી રાત્રી તે કન્યાઓનું જ ધ્યાન ધરવામાં તેણે પસાર કરી.
પ્રભાતે યજમાને એક પેટીમાં બે રીંછ પૂરીને નદીના પૂરમાં તે પેટી વહેતી મૂકી, પેટી મઠ પાસે આવી એટલે મઠમાં તે જ ખાખતનું ધ્યાન ધરતા તાપસે પેટી તરતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org