________________
વિપ્રથી બેધ પામેલ શેઠના પુત્રની કથા ૭૧ તેથી તે ઘર છોડીને પિયર ચાલી ગઈ અને નિંદા કરવા લાગી. (૪) તે હમેશાં છાનામાને મિષ્ટાન્ન ખાવા લાગે, તેથી આખા પરિવારમાં શ્રેષ પાત્ર થયો. (૫) સુખે સૂઈ રહેવા લાગ્યા, તેથી પુરુષાર્થમાં નબળે પડી ગયું ને ઉદ્યમને નાશ થયે. (૬) ગામે ગામ ઘર કરવા જતાં પૈસા ખરચ થઈ જવાથી ધનહીન થવા લાગે. (૭) ગંગાનદીના કાંઠા ઉપર દાવવાથી મજુરે પણ મશ્કરી કરવા લાગ્યા. એમ કરતાં દિવસે દિવસે તે નિર્ધન થઈ ગયે, અનુક્રમે સંબંધ વગરને, ઘર રહિત, પત્નીથી ત્યજાએલે, પ્રતાપ તથા યશ રહિત થઈ ગયો. એક દિવસ રાત્રે પોતાની નિર્ધન દશાને વિચાર કરતાં પિતાની છેલ્લી શિખામણ સંભાળીને, (૮) તે પાટલીપુત્ર તરફ ચાલે અને સોમદત્ત વિપ્રને ઘેર પહોંચે.
પિતાના મિત્રને પુત્ર જાણુને તેણે તેને સત્કાર કર્યો. પછી સમય મળતાં તેણે વિપ્રને પૂછ્યું કે “મારા પિતાની આ શિખામણોને શું અર્થ છે? અને કહ્યું કે “આ પ્રમાણે વર્તવાથી તે હું નિધન થઈ ગયું છું.”
સોમદત્તે કહ્યું કે “તું તેને અર્થ સમજે, પણ ભાવાર્થ સમજ્યો નથી, તેથી દુઃખી થયેલ છે. તે સર્વ શિખામણોને ભાવાર્થ હું તને સમજાવું છું તે સાંભળઃ (૧) દાંતવડે દરેક ગામમાં વાડ કરવી. તેને આ અર્થ છે કે દરેક ગામમાં મધુરવાણીવડે મિત્રો કરવા. (૨) આપીને પાછું લેવું નહિ, તેને ભાવાર્થ એ છે કે ઉધાર ધીરવું નહિ, જેથી પાછું માગવું પડે નહિ. (૩) સ્ત્રીને બાંધીને મારવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org