________________
૬૧
કંજુસ શેઠની કથા ભિક્ષુક! તું ચાલ્યો જા, જે આ શેઠ તારાં નાક, કાન પાછાં આપે તો તેમનું ધન પાછું આપજે.” આ પ્રમાણે હુકમ થવાથી બધું ધન તે ભિક્ષુક પાસે રહ્યું.
પછી લાગ જોઈ તે ભિક્ષુક બે કેઃ “તમારો ન્યાય તે આ જ છે ને? અહીંના ધનિકે સુખે સૂઈ ગએલા પરદેશીઓને આવી રીતે હેરાન કરે છતાં તેની કાંઈ પણ સજા તેમને ના મળે?”
તે સાંભળીને રાજા શેઠ પર કોપાયમાન થયો, અને તે કંજુસ શેઠના ઘર તથા બાકી રહેલી સંપત્તિ જપ્ત કરવાનો હુકમ કર્યો; એટલે શેઠ મૂછ ખાઈને પડ્યો અને રાતે, કકળતો, દેવને ઉપાલંભ દેતે, આકાશ તરફ જોકે, હૃદય ફાટી પડવાથી, ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યો.
અતિ લોભ કરવાથી આખરે નાશ જ થાય છે. ધન ગમે તેટલું સાચવી રાખીએ તો પણ તે નિશ્ચલ રહેતું જ નથી. કંજુસાઈથી સંઘરી રાખનારને અંતે પસ્તાવાનો જ સમય આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org