________________
કથામંજરી આરોપ તેના ઉપર મળે એટલે નખથી શિખા પર્યત ઢંકાએલ તે ભિખારી તેના જવાબમાં બે કેઃ “મહારાજ! મેં તો વસ્તુના બદલે વસ્તુ લીધી છે. તેમાં મેં ચોરી કરી કેવી રીતે કહેવાય?”
અધિકારીએ પૂછયું કે આ શેઠને બદલામાં તે શું આપ્યું છે? ભિખારીએ કહ્યું કે “સાટું તે થઈ ગયું છે, છતાં તે કબુલ જ ન હોય તે પિતાપિતાની વસ્તુ બંનેએ ગ્રહણ કરી લેવી તે જ ન્યાય છે, માટે જુઓ જુઓ! આ પ્રમાણે કહીને શરીર ઉપર વીંટાળેલાં વચ્ચે તેણે દૂર કર્યો અને પિતાના નાક અને કાન શેઠે કાપ્યાં હતાં તે દેખાડ્યાં.
અધિકારીએ પૂછ્યું કે આ શું!” ભિક્ષુકે કહ્યું કેઃ અરે મહાપુરુષ! હું પરદેશી છું, તે દેવર્મદિરમાં હું સુખેથી આરામ લેવા સૂતે હતો. મને મરેલે ધારીને આ કંજુસ શેઠે છરી વડે મારા નાક કાન છેદીને મને હેરાન કર્યો છે. તેના બદલામાં મેં તેણે ખાડો ખોદીને દાટેલ નિધિ ગ્રહણ કરેલ છે. જે તેને તે કબુલ ન હોય તે, મારા જે નાક, કાન તેને લઈ લીધાં છે, તે મને પાછાં આપે અને તેનું બધું દ્રવ્ય લઈ લે.”
તેનાં આ વચન સાંભળીને અધિકારીઓએ શેઠને પૂછયું કેઃ “બેલે શું કરવું છે!” શેઠ નિસાસો નાખીને જવાબ આપે કે “તેણે તેનું કાર્ય કર્યું છે. જ્યાં વિધિ જ પ્રતિકૂળ હોય ત્યાં બીજું શું કહેવું?”
આવો ઉત્તર સાંભળી અમલદારે બેલ્યા કેઃ “હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org