________________
૫૪
કથામંજરી શેઠે વિચાર્યું કે “આ નકામે વૈર-વિરોધનો ઉદય થ. આ ભિખારીનું હવે મૃત્યુ નજીક આવ્યું છે. મારા સર્વરવને નાશ થાય તો પણ અધમપણાના પ્રસંગને લીધે હું મારી પત્ની તેને આપી શકું તેમ નથી. તેથી જે કદાચિત્ આ અહીં મરણ પામશે, તો તેના મરણનું કલંક ચઢાવીને સ્વજને મને જ્ઞાતિ બહાર કરવાનો પ્રયત્ન કરશે અને રાજા દંડ લેશે. વળી મારી સાથે વિરોધ કરનારા ઘણા હોવાથી તેઓ મને નિષ્કલંકિત ગણશે કે નહિ તે બાબતની મને શંકા છે. તેથી પ્રથમ તે બધાને અભિપ્રાય જાણી લઈને પછી યોગ્ય કરું.”
આવો વિચાર કરીને તે પોતાની જ્ઞાતિના આગેવાનોના ઘેર ગયો. તેમની પાસે જઈને કહ્યું કેઃ “અરે ભાઈઓ! તમે જાણે છે કે મારી પત્નીને ગ્રહણ કરવાના દુરાગ્રહથી એક અન્યાયી ભિક્ષુક મારા આંગણામાં લાંઘવા બેઠે છે.”
તેઓએ જવાબ આપે કેઃ “બરાબર છે.” શેઠે કહ્યું કેઃ તે હાલ મરણ પામે છે, તે શું કરવું?”
તે સાંભળીને કેટલાક આગળના વૈરવાળા, કેટલાક વિનસંતોષી, કેટલાક અદેખા અને કેટલાક લેભી હતા, તેઓ ઍલ્યા કેઃ “અરે કલહંસ! જે તે ભિખારી આંગણામાં મરી ગયે હશે, તે તને પંક્તિભેદ કરી જ્ઞાતિબહાર કરીશું.”
કલહંસે કહ્યું કેઃ “તે તેના દુરાગ્રહથી મરી ગયે તેમાં મારો શું દેષ!” પણ તે બધાએ તે કાંઈ સાંભળ્યું નહિ. માત્ર પ્રથમની માફક જ કહેવા લાગ્યા. જ્ઞાતિજનોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org