________________
એક આચાર્યની કથા “અમે નિગ્રંથ સાધુ છીએ, તેથી તારું ધન ગ્રહણ કરીશું નહિ. પણ તે વિનયી અને કૃતજ્ઞ છે, તેથી વિશેષ મેટા માછલાંઓ ઉત્પન્ન થાય તેવું મિશ્રણ હું તને બતાવું છું.”
તે સાંભળીને તે બોલ્યો કેઃ “બહુ મેટી મહેરબાની કરી.” એમ કહીને મસ્તક નમાવ્યું.
પછી જે ચૂર્ણ પાણીમાં નાખવાથી તરત જ સિંહની ઉત્પત્તિ થાય, તેનું ચૂર્ણ આચાર્ય મહારાજે તેને દેખાડવું. વિશેષ અધિકરણની અને હિંસાની વૃદ્ધિ ન થાય તેવા આશયથી બુદ્ધિવત મનુષ્ય પણ પ્રાણાતિપાતાદિકથી થતી વિરાધનાને માર્ગ અંગીકાર કરે છે. સાવદ્ય આરંભને અંત તે મોટું કાર્ય છે.
આચાર્યશ્રીએ મારી ભક્તિથી પરમ તુષ્ટમાન થઈને મેટા મોટા માછલીઓ બનાવવાના ચૂર્ણની ઔષધિને પ્રયાગ મને બતાવ્યું.” તેવા વિચારથી અત્યંત આનંદ પામતે તે માછીમાર પિતાના ઘેર ગયો, અને આચાર્યશ્રીના કહેવા પ્રમાણે ઔષધિઓ ભેગી કરી. પછી મોટા સરોવરના પાણીમાં તે ચૂર્ણ નાખ્યું કે તરત જ તેમાંથી સિંહ ઉત્પન્ન થયે, તેણે તે માછીમારને મારી નાખે; એટલે તેનાથી થતી સાવદ્ય આરંભની વૃદ્ધિ બંધ થઈ. આ કારણથી જ પાપકારી ગુપ્ત રહસ્ય ઉંચેથી ઉચ્ચાર કરવાની મનાઈ કરવામાં આવેલી છે.
ગમે તેવી ગુપ્ત વાત પણ ચાર કાને જતાં પ્રગટ થઈ જવાનો ભય રહે છે. ભીંતને પણ કાન હોય છે, એમ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org