________________
૪૮
કથામંજરી માછલાંઓ ઉત્પન્ન થયા. તે પ્રયોગ તેની જાણમાં આવવાથી તે બહુ આનંદિત થયે; અને તે પ્રયોગ વડે તે તે પ્રમાણે હમેશાં કરવા લાગ્યો. તેમજ તે માછલાંઓ વેચીને પિતાની આજીવિકા ચલાવવા લાગ્યો.
આચર્ય તે તે સ્થળેથી બીજે વિહાર કરી ગયા. ઘણે વખત વીતી ગયા પછી પાછા વિહાર કરતાં કરતાં તે જ સ્થળે આવ્યા. તે આચાર્યને તે સ્થળે આવેલા જાણીને, પેલો માછીમાર સેનામહોરોને થાળ ભરીને તેમની પાસે આવ્યું. અને તેમની પાસે બેસીને પ્રાર્થના કરી કે મહારાજ! આ ગ્રહણ કરે, ગ્રહણ કરે. મારા ઉપર આટલી અવશ્ય કૃપા કરો.”
આચાર્ય મહારાજે પૂછ્યું કે તું કેણ છે? અને આ ભેટ શેની છે?”
માછીમારે કહ્યું કેઃ “પહેલાં આપ જ્યારે અત્રે બિરાજમાન હતા, ત્યારે શિષ્યોને ભણાવતી વખતે આપ માછલાં ઉત્પન્ન કરવાનું મિશ્રણ શિષ્યને શીખવતા હતા, તે મેં રસ્તે જતાં સાંભળ્યું હતું, પ્રયાગ કરતાં તે મિશ્રણની મને ખાત્રી થઈ હતી. મેં બીજા કોઈને તે શીખવ્યું નથી. મેં મહેનત વગર તેનું ઘણું ફળ મેળવ્યું છે, તેથી ભક્તિ વડે આપ મારા વિદ્યાગુરુ હોવાથી, આ ભેટ લઈને આ છું.”
આચાર્ય મહારાજે મનમાં વિચાર કર્યો કે “સાવધકારી કાર્યમાં સહાય આપનાર મને ધિક્કાર છે!” પછી કૃત્રિમ હાસ્ય કરીને તેમને તે માછીમારને કહ્યું કેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org