SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સેવક અને સ્વામીની કથા ૪૩ જેના ઉપર દ્વેષ હોય તેના ઉપર દ્વેષ રાખતા હતા. પગલે પગલે રાજાના સ્તુતિ વચન બોલતા હતા. રાજા આગળ અતિ અલ્પ મૂલ્યવાળે વેષ પહેરતા હતા. જનાનામાં રહેનારા લોકોની બાબતમાં મૌન ધારણ કરીને રહેતા હતા, અને સ્વામીને પસંદ હોય તેવી કળા કેળવવામાં કુશળતા દર્શાવતા હતા. આ પ્રમાણે રહેતાં ઘણે સમય વીતી ગયે, તો પણ રાજાએ તેમને એક વસ્ત્રને ટુકડે પણ આવે નહિ. માત્ર વારંવાર સફેદ ચારદાંત ઉઘાડીને તે પ્રમુદિત થઈને આનંદ પ્રદશિત કરતું હતું. તેથી તે બંને બહુ ખિન્ન થયા. એક દિવસ રાજા અશ્વકીડા કરવા બહાર નીકળ્યો. તેઓ બંને પછવાડે ચાલતા હતા. લશ્કર પાછળ પાછળ ચાલ્યું આવતું હતું. તે વખતે ઘેડાએ રાજાને પછાડ્યો. રાજાના આગળના ચારે દાંત ભાંગી ગયા. આ સમયે અવસર જાણનાર ભદ્રશાલે ચંદ્રશાલને કહ્યું કે “અરે મિત્ર! આપણે આપણા સ્વાર્થ માટે રાજાને ફરીથી વિનંતિ કરીએ. હે અવસરચિત બેલવામાં ચતુર! આ બેલવાને સમય છે. જે ધ્યાનમાં આવે તો કાંઈક બેલ” આ પ્રમાણેનાં વચન સાંભળીને અંજલિ જોડીને ધૂળથી ખરડાએલા, માથાને જેને મુકુટ પડી ગયે છે તેવા, દીનપ્રાય થઈ ગએલા રાજાની પાસે આવીને ચંદ્રશાલ બે કેઃ “હે દેવ! કૃપા કરે અને હવે અમને જવાની રજા આપે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005177
Book TitleKatha Manjari Part 01
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy