________________
૪૦
કથામંજરી આવજા કરતા હતા. તેને લીધે ઘરનાં કાર્યો પણ વારંવાર બગડતા હતા. શેઠ તેઓને નિષેધ કરતે હતો, પરંતુ કર્ણદ્રિયની લેલુપતાથી શેઠની આજ્ઞાને પણ તેઓ અનાદર કરતા હતા.
આમ થવાથી શેઠે વિચાર્યું કેઃ “આ ગવૈયાઓ રાજમાન્ય છે, તેઓ ગાતા હોય ત્યારે તેમને મારાથી બંધ કરાય કેવી રીતે? મારા કુટુંબીજને પણ મારી આજ્ઞાને અનાદર કરવા લાગ્યા છે, ગીતવિદ્યા ધૂર્તપણાની સહચારિણી છે, તેથી જરૂર આ સ્ત્રી વર્ગનાં તે પરિણામે શિયળનો નાશ કરનાર થશે. તેથી પાણી આવતાં પહેલાં જ પાળ બાંધવી ઉત્તમ છે.” આવો વિચાર કરીને તેણે પિતાના ઘરની નજીક એક મોટું દેવમંદિર કરાવ્યું ને તેમાં મૂર્તિની સ્થાપના કરાવી. પછી મેટું ભંટણું લઈને તે રાજા પાસે ગયે.
રાજાએ બહુમાન આપીને કહ્યું કેઃ “શેઠ! મારું કાંઈ કામ હોય તે સુખેથી કહો. કાંઈ માંગવું હોય તે માગે.”
શેઠે કહ્યું કેઃ “સેવકના ઈચ્છીત પૂરવામાં કલ્પવૃક્ષતુલ્ય હે સ્વામી! મેં એક દેવમંદિર કરાવ્યું છે, તે સ્થળે જે આપની મંજુરી હેય તે વિચિત્ર ગાન, નાદ, ઝંકાર અને ઘંટ, નગારા વગેરેના શબ્દો વડે ત્રણે કાળ સંગીત કરાવું”
રાજાએ કહ્યું કેઃ બહુ ખુશીથી વાજીંત્રો વગાડે. તેમ કરવામાં જે નિષેધ કરશે તેના ઉપર ગૃહદેવતા કે પાયમાન થશે એમ સમજજે.” તે વાત ગવૈયાઓએ અને બીજા બધાએ સાંભળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org