________________
૨૫૬
કથામંજરી ગએલા અને આગ લાગવાથી દુઃખિત અંતઃકરણવાળા કુટુંબીઓએ તેને યોગ્ય ઉત્તર આપીને પાછા કાઢ્યો. તે ગુરુ પાસે પાછો આવે.
અન્ન નહિ મળવાથી ભૂખ્યા થએલા ગુરુએ તેને કહ્યું કેઃ “ગમે તે ખાવાનું લાવ.” આમ કહીને તેને પાછા મોકલે. તે શિષ્ય લીંબડાના ઝાડ ઉપરથી રાત્રે લાગેલ અગ્નિની જવાળાઓથી મરી ગએલા કાગડાઓના રંધાઈ ગએલ શરીરને લઈ આવ્યા.
ખાવાની ઈચ્છાથી શેકાઈ ગએલા તે કલેવરને ગુરુ સરખું કરવા લાગ્યા, તેવામાં તે યજમાન ત્યાં આવ્યું, અને ગુરુનું આવું અધમ આચરણ દેખીને તેણે ગુરુને ઠપકો આપ્યો કેઃ “અરે ગુરુજી! સ્મૃતિ, વેદ, પુરાણ વગેરે સર્વ શાસ્ત્રોમાં કાગડાના માંસ ભક્ષણનો ખાસ નિષેધ કરેલ છે, તેમ છતાં તમે આ શું કરો છો??”
ગુરુએ કહ્યું કેઃ “હે યજમાન ! મને ભૂખ બહુ જ લાગી છે, તારા ઘરને અગ્નિ લાગવાથી અન્ન વગેરે કાંઈ તૈયાર નથી. તેથી હું કાગડાનું માંસ ખાઈશ.” બીજું હું કાંઈ જાણતું નથી, પરંતુ માતૃકાપુરાણને ગુરુ પરંપરાથી હું જાણું છું. તેમાં ક–ખ” પાઠ છે. તેને અર્થ “કાગડા ખાવા.” એવો થાય છે.”
શેઠે તેનું આવું જ્ઞાન જોઈને કહ્યું કેઃ “ગુરુજી! માતૃકાપુરાણમાં “દ-ધ-ન પાઠ પણ છે. તેનો અર્થ ‘દગ્ધ થએલા કાગડા ન ખાવા” એવો થાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org