________________
૨૪૪
કથામંજરી પછી તેણે તે હરણું પકડનારાઓને પૂછ્યું કે “અહીંથી બીજા સ્થળે જાઉં, ત્યાં મારે શું કરવું?”
આ પ્રમાણે પૂછવાથી તે દુષ્ટોએ તેને શીખવ્યું કે “માણસને દેખવાં કે તરત જ નીચા નીચા નમવું; અને બહુ જ નમ્રતા બતાવવી.” પછી તેઓએ તેને છોડી દીધો.
તે પૂછડાં વગરનો પશુ ચાલતા ચાલતે નગરની નજીકમાં આવ્યો. તે જગ્યાએ પહેલાં ઘેબીઓનાં કપડાં ચોર ચોરી ગયા હતા. તેઓએ ગુપ્ત પુરુષને તપાસ કરવા રાખ્યા હતા. તેઓ ચેરની તપાસ કરતા હતા. તે વખતે તે મૂર્ખ કુળપુત્ર તે સ્થળે આવ્યું, અને લુગડાં પડેલાં હતાં તે સ્થળે રહેલા બે ત્રણ માણસોને તેણે ધીમેથી નમસ્કાર કર્યો. તેને નમો નમતે આવત દેખીને “આ જ ચોર છે તેમ ધારીને ધોબીઓએ તેને બાંધે અને બહ માર્યો. ત્યાં પણ સત્ય હકીકત કહેવાથી તેને છોડી મૂક્યું.
મૂર્ખાએ તેમને પૂછયું કે “મને એવી રીતે શિખામણ આપો કે જેથી બીજાઓ મારે પરાભવ કરી શકે નહિ.” તેમ પૂછવાથી “આ ગાંડે છે તેમ ધારીને તેઓએ તેને શિખવ્યું કેઃ “જ્યારે ઘણું લેક મળે ત્યારે “તમારા માથા ઉપર ઉષ પડે તેમ બેલિવું.”
આ પ્રમાણે સાંભળીને નગર તરફ જતાં ઉદ્યાનમાં યાત્રાર્થે જતા માણસોને દેખીને “તમારા શરીર ઉપર ઉષ પડે તે પ્રમાણે તેણે કહ્યું. તે સાંભળીને તેઓએ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org