________________
કુલપુત્રની કથા
પુત્રે પૂછ્યું કેઃ “માતા! શું ઉપાય કરું.”
માતાએ કહ્યું કેઃ “આ પાસેના નગરમાં તારા પિતાને સ્વામી એક મોટે રજપુત રહે છે. ઘણા વરસ સુધી તેણે તેની સેવા કરી હતી, તેની સેવા કરવા માટે તું પણ જા.” આ પ્રમાણે કહીને જુની, મ્યાનમાં રહેલી, બહ કાટ ચઢી ગએલી તલવાર તેને આપીને આશીર્વાદ દઈને તે રજપુત પાસે તેને મોકલ્યો.
તે જતાં જતાં પૂછવા લાગ્યું કે “માતા! લોકોને રીઝવવવાને શું ઉપાય? તે મને કહે, તે હું કદિ પણ શીખે નથી.”
માતાએ કહ્યું કેઃ “વત્સ! જ્યારે માણસોને મેળાપ થાય, ત્યારે મોટા સ્વરે “નમસ્કાર, નમસ્કાર તેમ બોલવું.”
તે મૂઢ મતિવાળે મૂર્ખ ત્યાંથી ચાલ્યો, અને અરણ્યમાં પહોંચ્યું. તે સ્થળે શિકાર કરવા આવેલાઓએ હરણને પકડવા જાળ નાખી હતી અને ગીતનાદથી હરણયાંઓને આકર્ષી હતાં. હરણીયાંઓ નજીક આવતા હતા, તે વખતે આ મૂર્ખ બહુ મોટા અવાજથી શિકારીઓને “નમસ્કાર, નમસ્કાર એમ કહ્યું. તે સાંભળીને હરણીયાએ ભય પામ્યા, અને નાશી ગયા,
હરણ પકડનારાને તેના ઉપર બહુ ક્રોધ ચઢ્યો, અને ગડદા, પાટુ, લાકડી તથા ચાબખા વગેરેથી તેને બહુ માર્યો. તે મૂર્માએ કહ્યું કે “મને મારી માતાએ તે પ્રમાણે શીખવ્યું છે. માટે મને મારશે નહિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org