________________
૨૨૮
કથામંજરી આપેલું એક લક્ષ દ્રવ્ય તું પાછું આપ. તારી પાસે ભણેલ હોવા છતાં પણ દેશાંતરમાં ગએલ તે, આવી સામાન્ય ગણિકાથી છેતરાઈ ગયે છે.” - તે સાંભળી કુટ્ટિની બેલી કેઃ “શેઠ! જીવતી અવસ્થામાં કરેલા પ્રપંચને તે તે અવશ્ય જીત્યો, પણ મૃત્યુ અવસ્થા બતાવીને કરેલા પ્રપંચોને તે જીતી શકયા નહિ; તો પણ વિષાદ કરશો નહિ, હું બધું પાછું લાવી આપીશ. તમે મારી સાથે તે ગામ ચાલે.”
આ પ્રમાણે વિચાર કરીને તે બંને તે નગરીએ ગયા, અને તે નગરીમાં પ્રવેશ કર્યો. શેઠે બને અને કુદિનીએ ડૂબીને વેષ ધારણ કર્યો. પોતાની ધારણાની બધી બાતમી મકરંદને એકલા બોલાવીને સમજાવી દીધી. એક દિવસ જે વખતે મકરંદ શેઠ મદિરાની સાથે જાજમ ઉપર ઘરના દરવાજાના મંડપમાં બેઠા હતા, અને દાસીઓ ચંદનરસથી તેમનાં બંનેના ચરણેની સેવા કરતી હતી, તે વખતે બંને જણા તેની પાસે ગયા.
મકરંદને દેખીને તેને ઉદ્દેશીને બી બેલી કે હે વત્સ! અમને છોડીને તું ક્યાં ગયે હતેશું કાગળ દ્વારા અમને સમાચાર પણ મેકલ્યા નહિ? ચાલ, ચાલ, તારા આખા શરીરના આલિંગનરૂપી અમૃતરસવડે મારા બધાં અંગોને તૃપ્ત કર. અરે વત્સ! તારું આટલું બધું ધન ક્યાં ગયું?”
આ પ્રમાણે બેલતી તે રૂદન કરવા લાગી. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org