________________
એક વેશ્યાની કથા
२२७ સાધના કરી, તેથી હું સ્વર્ગમાં ગઈ. ત્યાં શકેંદ્ર ગૌરવ સહિત મારી તરફ જોયું અને કહ્યું કેઃ “હે સાત્વિક શિરોમણિ! જે કાંઈ જોઈએ તે માગ.”
મેં વિનંતી કરી કે “જે તમે તુષ્ટમાન થયા હો તો મારા મનુષ્ય દેહ વડે મને મકરંદ શેઠ સાથે સંગ થાય તેમ કરી આપે; કે જેના અનાદરથી મેં આ પ્રમાણેનું સાહસ કર્યું છે. તે સાંભળીને તે શકે કે મને તે વર આપીને સ્વર્ગલોકમાંથી અહીં મોકલી છે.”
આ પ્રમાણે સાંભળીને મકરંદ તે સમયને અમૃતમય, કામદેવના ભેગને અનુકૂળ; અને મહોત્સવ તુલ્ય માનવા લાગ્યા. પછી તે તેની પાસે જ રહ્યો, અને તેની સાથે ભેગવિલાસ કરવા લાગ્યો. મકરંદનું મન મદિરામાં જ લીન થઈ જવાથી, મદિરાએ ધીમે ધીમે તેનું બધું દ્રવ્ય હરણ કરી લીધું. “વેશ્યામાં અને કવિતામાં તલ્લીન થએલ માણસ રસના આકુળપણાથી અપશબ્દ, વૃત્તભંગ તથા અર્થના ક્ષયને જાણતા નથી.'
આ પ્રમાણે મકરંદ નિર્ધન થઈ ગયા. ત્યાર પછી મદિરા તેને બહુ આદરસત્કાર કરતી નહિ. જ્યારે તેને ત્યાં બહુમાન મળતું બંધ થયું, ત્યારે મકરંદે આમ પુરુષે દ્વારા બધી હકીક્ત, તેના પિતા હીરક શેઠને જણાવી.
હીરક શેઠ આ વૃત્તાંત સાંભળીને બહુ ખેદ પામ્યા, અને કેપ કરીને તેવી શિક્ષા આપનાર કુટ્ટિની પાસે જઈ કહેવા લાગ્યું કેઃ મારા પુત્રને શીખવવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org