________________
એક વેશ્યાની કથા
૨૨૩ બહારના ભાગમાં એક સુરંગ ખોદાવી, અને બહારના ભાગમાં ભૂમિ ઉપર જમીનના એક પડ જેટલું ઢાંકણ કરાવ્યું. તે દ્વારના સ્થળે તેની ઉપર લાકડાં એવી રીતે ગોઠવ્યાં કે દ્વારની ખબર પડે નહિ.
આ પ્રમાણે સુરંગ તૈયાર થઈ ગઈ એટલે, દાન દઈને, મોટા પુરુષ સાથે ઘેડા ઉપર બેસીને ચિતામાં બળી મરવાના બહાને તે તરફ ચાલી. આ વૃત્તાંત લેક પાસેથી સાંભળીને “આ સત્ય કે અસત્ય? તેને નિર્ણય કરવા માટે, લેકેનું ટોળું ભેગું થયું હતું તે સ્થળે મકરંદ પણ વેષ બદલાવીને ગયે. તે ચિતાની પાસે જ ઊભો રહ્યો.
ચકેર જેવી તે યુવાન વેશ્યા પણ ઘડા ઉપરથી ઉતરી કાંઈક ઉંચી થઈને બેલી કેઃ “હે પરમાત્મા! હે લેકમાલ! હું મકરંદ નામના નિષ્ફર શેઠના પુત્ર તરફ, કામદેવને જીતે તેવા તેના રૂપ તથા ગુણથી આકર્ષાઈ હતી. મેં તેને યાચના પણ કરી હતી; તે વ્યાપારીઓમાં ઉત્તમ શેઠના પુત્ર ગણિકા માત્ર કપટી હોય છે એમ કહીને મારી યાચનાને અસ્વીકાર કર્યો, તેથી નિરાશા, વિષાદ અને ખેદથી ગભરાએલા અને મુંઝાએલા મારા આત્માને હું તજી દઉં છું. હે મહાજને! તે તમે નજરે જુઓ.”
આ પ્રમાણે બેલીને તેણે તરત જ ચિતામાં પ્રવેશ કર્યો. થોડી વાર પછી તેના સનેહી પુરુષોએ ચિતાને અગ્નિ લગાડ્યો. પગની લાત મારીને ભેંયરાનું દ્વાર ખોલી નાખીને, ગણિકા સુખેથી ઘેર આવી, અને માયાકપટમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org