________________
રરર
કથામંજરી વસ્તુઓથી સુગંધિત કરેલું પાનનું બીડું તેણે તેને આપ્યું; અને આવવાનું વચન માગ્યું.
મકરંદે કાંઈ પણ દાક્ષિણ્યતા રાખ્યા વગર કહ્યું કે આવી જેની સ્થિતિનું તું વર્ણન કરે છે તે સર્વથી હું અજાણ નથી, માટે તારી આવી વાણુની યુક્તિને ઉપયોગ બીજા કોઈ સ્થળે કરજે.” તે સાંભળીને દૂતી શ્યામ મુખવાળી થઈ ગઈ, અને વેશ્યા પાસે જઈ નમન કરીને તેને બધી હકીક્ત કહી. તે મદમાતી ગણિકા તે સાંભળીને ફાળ ચૂકેલી વાંદરીની માફક વિલક્ષણ મુખવાળી થઈ ગઈ. તથાપિ ખેદ પામ્યા વગર વારંવાર ખુશામતના શબ્દથી ભરેલા કામદેવના અસ્રરૂપી પત્રે તેણે મેલવા માંડયા. તે પણ મેરુ પર્વતની જે નિશ્ચળ મકરંદ જરા પણ ચલાયમાન થયે નહિ.
એક દિવસે મદિરા ગણિકાએ પિતાની ખાસ દાસી સાથે કહેવરાવ્યું કેઃ તમે તે પથ્થરની જેવા કઠણ છો. પરંતુ તમારા ઉપરના સ્નેહને લીધે, અત્યંત કમળ સ્વભાવવાળી થઈ જવાથી હું તમારા વિના જીવવાને સમર્થ નથી. તમને જાણ્યા! તમારું કલ્યાણ થાઓ. હું હવે જીવતી ચિતામાં સળગીને મૃત્યુ પામીશ, મને આવતા ભવમાં તમારું દર્શન આપજે.”
તે સાંભળીને કાંઈ પણ જવાબ આપ્યા વિના મકરંદ ચાલ્યા ગયે. દાસીએ તે બધું તેની સ્વામિનીને નિવેદન કર્યું. પછી તે ગણિકાએ આ પુરુષ પાસે નગરથી દૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org