________________
એક વેશ્યાની કથા
૨૨૧
બીજા દિવસે શેઠની આજ્ઞા લઇને મકરંદ અમરપુર નામના નગરમાં ગયે, ત્યાં રાજાએ પ્રસન્ન થઈને આપેલા મકાનમાં માલની લે વેચ કરતા તે સુખેથી રહેવા લાગ્યા. તે નગરમાં તરુણુ હરણ જેવી ચપળ અને સ્ત્રીઓની ચાસ કળાએમાં પ્રવીણ મદિરા નામની વેશ્યા રહેતી હતી. તે ગણિકાને તેની માએ કહ્યું કે: “તું ગમે તેમ કરીને આ યુવાન શેઠને રાજી કર.”
3
તે ગણિકા અભિમાનપૂર્વક ખેલી કે: “તીવ્ર વૈરાગ્યવાળા યાગીઓની પણ ક્ષણમાત્રમાં સમાધિના ભંગ કરવામાં કુશળ એવી મને, આ કામળ હૃદયવાળા ગૃહસ્થને રાજી કરવે તેમાં શી મેાટી વાત છે?” આ પ્રમાણે કહીને તે શેઠના પુત્રને પેાતાના મકાને લાવવા ીને મેાકલી.
તે દૂતી શેઠ પાસે જઈ પ્રણામ કરીને વિનયપૂર્વક તેની આજ્ઞા લઈને, નીચેના આસન ઉપર બેસીને એલી કેઃ “હે સ્વામિન્! આ નગરમાં સર્વ ગુણસંપન્ન, મારી સ્વામિની મદિરા નામની ગણિકા રહે છે. તેણે તે રસ્તે થઇને નીકળેલા આપને જોયા, ત્યારથી તે આપણા ઉપર માહિત થએલી છે. હું સાધુ પુરુષ! તમે ફેંકેલા પ્રેમખાણુથી વિંધાએલી તે સૂતાં, બેસતાં, તમારા નામનું જ રટણ કરે છે. તમારા વિના મ્લાન વદનવાળી તે આસપાસ જોયા કરે છે, ભમ્યા કરે છે; અને નિસાસા નાખતી પથારીમાં આળાટ્યા કરે છે, અને વારે ઘડીએ બેભાન થઇ જાય છે.” આ પ્રમાણે વિસ્તારથી કહીને, કસ્તુરી વગેરે ઉત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org