________________
૨૧૬
કથામંજરી પુત્ર તથા પુત્રવધૂ ઉંઘમાંથી ઉઠ્યા, અને ડોસીને વસ્ત્રાભૂષણથી સજજ થએલી જોઈને ચમત્કાર પામીને બોલ્યા કેઃ “અહે! પૂજ્ય માતાજી! તમે ક્યાંથી આવ્યાં?”
તે બેલી કે “વત્સોસ્વેચ્છાથી મરણ પામી તેથી સ્વર્ગમાં ગઈ. ત્યાં મારા પતિએ વસ્ત્રો તથા આભૂષણથી મારે સત્કાર કર્યો, તેથી મારી સમૃદ્ધિ દેખાડવા હું તમારી પાસે આવી છું; જે કોઈ તરુણ સ્ત્રી આ પ્રમાણે વેચ્છાથી મરણ પામે તો તે મહેંદ્ર પણ તેની પૂજા કરે છે,”
આ પ્રમાણે સાંભળીને, તેવા લાભથી લોભાઈ પુત્રવધૂ આગ્રહથી લાકડામાં પડીને બળી મરી. પુત્ર બીજા દિવસે તેની રાહ જોવા લાગ્યું કે “તે ક્યારે આવે ?”
માતાએ કહ્યું કે “હે વત્સ! મરી ગએલા માણસો કદિ પણ પાછા આવતા નથી. આ તે મેં મારા વૈરનો બદલે લેવા માટે જ ઉપાય કર્યો હતે.” પછી ડોસીએ પિતાને બધે વૃત્તાંત પુત્રને કહી બતાવ્યો.
તે સાંભળીને પુત્ર મૌન રહ્યો. થોડીવાર પછી વિચાર કરીને બોલ્યો કેઃ “હે માતા! જે પારકા માટે વિચારીએ છીએ, તે જ પિતા માટે બને છે તે વાત સત્ય છે.?
કોઈનું સારું જોઈ અદેખાઈ કરવી નહિ. ખાડો જે ખેદે છે તે જ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org