________________
સાસુ વહુની કથા
૨૧૫ “ભદ્ર! અગ્નિ લાવવાને હું નગરમાં જાઉં છું, ત્યાંસુધી તું અહીં જ રહેજે.”
તેણીએ કહ્યું કેઃ “આવા કવખતે હું અહીં એકલી રહી શકીશ નહિં, મને બીક લાગશે; તેથી બને સાથે જઈએ.”
તેમ વિચાર કરી બંને અગ્નિ લાવવા ગામમાં સાથે ગયા. ડોસીએ વિચાર્યું કેઃ “આ બંને દુશે તે થયા. પરંતુ મરી ગએલાઓને ઠંડું પાણી, મિષ્ટાન્ન, ઈષ્ટ પ્રાપ્તિ વગેરે કાંઈ મળતું નથી, માટે આવી રીતે મરવું યોગ્ય નથી.”
આ પ્રમાણે વિચાર કરીને તે ડોસી લાકડાંની વચ્ચેથી બહાર નીકળી ગઈ, અને પાસે રહેલા ન્યાધ ઝાડની ઉપર ચડીને બેઠી. પુત્ર અને પુત્રવધૂએ અગ્નિ લાવીને લાકડાં સળગાવ્યાં, અને પછી ઘેર જઈને બંને સૂઈ ગયાં.
તે જ રાત્રે એક શ્રીમંતનું ઘર લુંટીને ચોરો તે ઝાડની નીચે આવ્યા અને લુંટેલી વસ્તુઓને ભાગ પાડવા માટે અરણીથી અગ્નિને પ્રકાશ કરીને ત્યાં બેઠા. આ સમયે બુદ્ધિ ઉત્પન્ન થવાથી તે ડેસી વાળ છૂટા કરીને “ખાઉં, ખાઉં” બોલતી તે એની ઉપર પડી.
આ કોઈ રાક્ષસી છે તેમ ધારીને બધા ચોરો નાશી ગયા. પછી પડી રહેલું બધું ધન લઈને ડોસી રાજી થઈ અને વસ્ત્રો તથા દાગીનાઓથી શરીરને શોભાવીને રાતને એક પહોર બાકી રહ્યો ત્યારે પિતાના ઘેર ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org