________________
૨૧૪
કથામંજરી વળી, “પુત્ર ઉત્પન્ન થયા પછી પતિને, પત્ની આવ્યા પછી માતાને; કાર્યની સિદ્ધિ થયા પછી શેઠને, અને રોગ નાશ પામ્યા પછી વૈધને દ્વેષ થાય છે.”
સ્વછંદી પુત્રવધૂ સાસુ ઉપર દાઝે બળતી હતી. એક વખત કોઈ તહેવાર આવે ત્યારે સાસુએ વહુને કહ્યું કે દીકરી! દુકાને જઈને મિષ્ટાન્નાદિ કરવા માટે લાકડાં તથા ઘઉં મોકલવાનું કહી આવ.”
વહુએ દુકાને જઈને કહ્યું કે “તમારી માતા ઘડપણ તથા રોગથી મુંઝાઈ ગએલ છે, તેથી લાકડાંની માગણી કરે છે.”
પુત્ર ઘેર ગયે અને માતાને પૂછ્યું કે “માતાજી! તમે લાકડાં શા માટે મંગાવ્યાં? ' ડોસીએ વિચાર કર્યો કેઃ “વહુએ કરેલા વાણી વિલાસથી જ મારો પુત્ર મને આવી રીતે પૂછે છે, તેથી મને લાગે છે કે તે બંને મારું મરણ ઈચ્છે છે તેથી તેમની વાણીનું સમર્થન કરું.”
આ પ્રમાણે વિચારીને ડોસી બોલી કે “પુત્ર! મને લાકડાં લાવી આપ.”
તે સાંભળીને તે બંનેએ નગર બહાર લાકડાં એકઠાં કયાં. સ્વજને એકઠા થયા, અને નગર બહાર આવીને તે ડોસીને લાકડાંની મધ્યમાં મૂકી; પરંતુ તે બંને સાથે અગ્નિ લાવો ભૂલી ગયા. તેથી પતિએ પત્નીને કહ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org