________________
વાણીયાની કથા
૨૦૯
છે, અને અમે તે! તેના પ્રાણ લેવા આવ્યા છીએ. તેથી શું કરવું.”
શેઠની ભક્તિથી સંતુષ્ટ થઈને યમરાજ કહેવા લાગ્યા કે: “હું શેઠ! મારી આવી રીતે કાઈ આરાધના કરતું નથી. તારી ભક્તિથી હું તારા ઉપર સંતુષ્ટ થયેા છું, તેથી તારી જે ઈચ્છા હાય તે મારી પાસે માગ.”
તે સાંભળી શેડ એલ્યેા કે: “મારૂં નામ, તમારી મૃત્યુની નેધમાંથી કાઢી નાંખા કે જેથી હું મરણ પામું નહિ.”
મે કહ્યું કેઃ “બહુ સારૂં” પછી ચિત્ર વિચિત્ર નામના તે કાર્ય કરનારા અને સેવકાને ખેલાવીને, તેને અહારની પરસાળમાં બેસાડ્યા; અને તેને યમે હુકમ કર્યા. એટલે તેઓએ તેની મૃત્યુ નોંધ વાંચી કે “જયારે શંકર શેઠ પેાતાના અમરપણા માટે યમદેવને પ્રાર્થના કરશે, અને તે ચિત્ર વિચિત્રને ખેલાવશે; તે જ વખતે અકસ્માત્ જર્જરિત થઈ ગએલ દેવમંદિરને ભારવટ તેના ઉપર પડશે અને તે મૃત્યુ પામશે.” આ પ્રમાણે તેએ વાંચતા હતા, તેવામાં તે ભારવટ તેના ઉપર તૂટી પડયો, અને તે મૃત્યુ પામ્યું.
યમને ખેદ થયે! કે: “અહા! મારી સેવાનું આને કાંઇ ફળ મળ્યું નહિ.” આ પ્રમાણે શેક કરતા યમ પેાતાના સ્થાને ગયે.
મરણુ જ્યારે આવવાનું હાય છે, ત્યારે તે અવશ્ય આવે છે
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org