________________
૨૦૬
કથામંજરી કથનથી આ માણસે મારેલ લાકડીથી તારે ઘેડે મરી ગયે. તારી આ ફરિયાદથી આ માણસને જે દંડ કરવામાં આવે તે, તારી જીભને પણ શા માટે શિક્ષા ન કરવી.”
પછી નટ તરફ જોઈને અમાત્યે કહ્યું કેઃ “આ માણસની પાસે કાંઈ છે નહિ. તેથી તેની પાસેથી તમને શું અપાવું? પરંતુ તે એટલું કરશે કે, તે નીચે સુઈ જાય; અને તમારામાંથી કોઈ મોટો માણસ હોય તે જુના વસ્ત્રવડે ઝાડ ઉપર ગળાફાંસો બાંધે; અને પછી તે માણસ આ માણસ ઉપર પડે. પછી ભલે તેનું જે થવાનું હોય તે થાય.” આ પ્રમાણેને ન્યાય સાંભળીને બધા ફરિયાદ કરનારાઓ, તે અભાગીને છેડીને ચાલ્યા ગયા.
બુદ્ધિથી સર્વ કાર્યની સિદ્ધિ થઈ શકે છે અને બુદ્ધિ કેળવવાથી સર્વ કાર્યને પાર પામી શકાય છે. ગમે તેવી મુશ્કેલીઓમાંથી પણ બુદ્ધિવંત મનુષ્ય માર્ગ કહાડી શકે છે. જ્ઞાન અને જ્ઞાનીની આરાધના–ભક્તિ કરવાથી વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org