________________
નૈમિત્તિકની કથા
૨૦૧ કે અરે! તું કેમ પગમાં પડીને પ્રણામ કરતા નથી?”
તેણે કહ્યું કે જેને તમે સારી રીતે ભણાવ્યો, તે જ તમારા પગમાં પડે, હું નહિ પડું.” ગુરુએ કહ્યું કે “આને કેમ સારી રીતે ભણું , અને તને ન ભણા?” પછી તેણે રસ્તે બનેલ બધે વ્યતિકર કહી દેખાડ્યો અને કહ્યું કેઃ “તેનું જ્ઞાન સારું છે. તેથી તે બધું જાણી શકે છે; મારું જ્ઞાન બરાબર નથી.”
પછી તે વિનીત શિષ્યને ગુરુએ પૂછયું કેઃ “વત્સ! આ બધું તે કેવી રીતે જાણ્યું?” શિવે કહ્યું કે “આપશ્રીના ચરણકમલની સેવા કરવાથી આવેલા વિચારો વડે મેં જાણ્યું છે. મેં વિચાર્યું કે હાથીના પગલાં છે, તે તે પ્રસિદ્ધ જ છે. પણ વિશેષ વિચાર કરતાં અને પગલાંના ચિહ જોતાં તે, હાથણીના પગલાં છે એમ મને લાગ્યું. વળી તેણે જમણી બાજુના વેલાઓ ખાધેલા, અને ડાબી બાજુએ કાંઈ ખાધેલું નહિ હોવાથી, તે હાથણી ડાબી આંખે કાણી છે તેમ મને લાગ્યું.
આવી રીતે પરિવાર સહિત બીજું કઈ જાય નહિ, તેમ વિચારતાં તે કઈ રાજદરબારી માણસ હોવું જોઈએ તે મેં નિર્ણય કર્યો. તે હાથણી ઉપર બેઠેલી વ્યક્તિએ નીચે ઉતરીને, લઘુશંકા કરેલી દેખી, તેની કાયાના ચિન્હાદિ ઉપરથી તે રાણી લેવી જોઈએ એ મેં નિર્ણય કર્યો. વૃક્ષને લાગેલા રાતાં વસ્ત્રના ટુકડાને દેખવા ઉપરથી, તે ભત્તર સહિત છે તેમ મને લાગ્યું. વળી ભૂમિ ઉપર હાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW