________________
નૈમિત્તિકની કથા જ છે, આપણે આગળ જઈશું એટલે સર્વ સ્પષ્ટ જણાઈ આવશે.” તે પછી તેઓ તે ગામ પહોંચ્યા, અને આસપાસ જેવા લાગ્યા; એટલે તે ગામની બહારના પ્રદેશમાં મોટા સરોવરના કાંઠે તેઓએ રાણીને તંબુ તાણીને રહેલી દીઠી. તેની પાસે હાથણી હતી, તે ડાબી આંખે કાણી હતી. તેઓ ત્યાં ફરતા હતા, તેવામાં એક દાસી મોટા પ્રધાનને કહેતી તેઓએ સાંભળી કેઃ “રાણીએ પુત્રને જનમ આપે છે, માટે રાજાજીને વધામણી આપ”
વિનીત શિળે બીજાને કહ્યું કેઃ “ભાઈ! આ દારસીનું વચન સાંભળ.”
તેણે કહ્યું કેઃ “મેં સર્વ સાંભળ્યું છે, તારું જ્ઞાન બરાબર છે, તેમાં ફેરફાર નથી.” તે પછી તે બંને જણ સરોવરના કિનારે મોટા વટવૃક્ષ નીચે વિસામો લેવા બેઠા. તે સરોવર ઉપર પાણી ભરવા આવેલી એક ડેસીએ તે બંનેને દેખ્યા. તેમની આકૃતિ જોઈને તે સ્ત્રીએ વિચાર્યું કે આ બંને વિદ્વાન જેવા દેખાય છે, તેથી દેશાંતર ગએલે મારો પુત્ર ક્યારે આવશે, તે હું તેમને પૂછું.”
તેણીએ તે પૂછ્યું. પરંતુ પ્રશ્ન કરતી વખતે તેના માથા ઉપરથી ઘડે જમીન ઉપર પડી ગયે, એને તેના સંકડે ટૂકડા થઈ ગયા. તે દેખીને બીજે અવિનીત શિષ્ય બેલી ઉક્યો કે “તારો પુત્ર તે મરી ગયું છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW