________________
એક ડોસીની કથા
૧૮૫ કઈ ઈચ્છતું નથી.'
તેની પાડોશમાં એક ડોસી રહેતી હતી. તે તેની હમેશાં નિંદા કરતી કેઃ “આ કેટલાક પરદેશીઓને જમાડી તેમનું ધન લઈને ખાડામાં નાખી દે છે. કેટલાકની થાપણ એળવીને પાછી આપતો નથી. જે એ શેઠને અને તેના ધમપણાને!” એક દિવસ રાતના કોઈ ભૂખ્યો અને તરસ્યો સંન્યાસી તેના ઘેર આવ્યા. તે વખતે શેઠના ઘરમાં કઈ ખાવા લાયક ચીજ હતી નહિ, તેમ પીવાનું પણ હતું નહિ, તેથી તે દાનેશ્વરી શેઠ કઈ ભરવાડણને ઘેર જઈને છાશ લઈ આવ્યું, અને તેને તે પાઈ. તે તૃષાતુર સંન્યાસી છાશ પીધી કે તરત જ મરણ પામ્યા.
ગોવાલણ જ્યારે છાશ માથે લઈને આવતી હતી ત્યારે છાશવાળા વાસણનું મેં ઉઘાડું હોવાથી, એક ગરૂડ પક્ષીએ પકડેલ સર્પ ઉંધો લટકતો હતો, તેના મોંમાંથી તે છાશમાં વિષ પડેલું હતું તેથી તેવી છાશ પીવાને લીધે જ સંન્યાસી મરણ પામ્યા હતા.
સવારે તે સંન્યાસીને મરેલે દેખીને ડેસી બોલવા લાગી કેઃ “આ દાતારનું ચરિત્ર જૂઓ. આ સંન્યાસીનું મરણ તેના ધૂર્તપણાની સાક્ષી પૂરે છે.” એ વખતે તે સંન્યાસીની હત્યા ભમતી ભમતી વિચારતી હતી કેઃ “હું કેને ચેટું આ દાતા તે વિશુદ્ધ આત્માવાળે છે, સર્પ પણ પરવશ છે; સર્પને પકડવાનો ગરૂડને ધર્મ છે, ભરવાડણ નિર્દોષ છે. તેથી મારે કોને ચાટવું.” આ પ્રમાણે વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org