________________
૧૭૮
કથામંજરી ત્યારે તે પૂર્વોકત રીતે પિતાના મનોરથ પૂરા કરતે હતો.
એક દિવસ તે કામધેનુને તેણે કહ્યું કે “જે તારી રજા હોય તો એક દિવસ મારા સર્વ પરિવારને તારા લાડવાને આસ્વાદ કરાવું આટલી રજા કૃપા કરીને આપ, અને તારે વિશેષ પ્રસાદપાત્ર મને કર. જે ઘણાઓ દેખે તે વિશેષ મિષ્ટ લાગે છે. વળી તમને દેવોને) તે અસાધ્ય નથી.”
કામધેનુએ તે માગણી કબુલ કરી, અને જવાબ આ કેઃ “તું મારા પંછડાને વળગજે, તારે શિષ્ય તારા પગને વળગે, તેના પગને બીજો શિષ્ય વળગે આ પ્રમાણે એક બીજાને પગે વળગીને તમે બધા અત્રે આવજો. મને તેમાં વાંધો નથી.” તાપસ આ સાંભળીને સંતુષ્ટ થયે.
પછી પરિજને પાસે જઈને યજમાન અને અન્ય સંબંધીઓને બોલાવીને કહ્યું કેઃ “બધા વાડીમાં એકઠા થ, કામધેનુ ગાયના સિંહ કેસરીઆ લાડવા ખાવા જવાનું છે. તે સાંભળીને તે બધા લેભાયા, આનંદ પામ્યા અને વાડીમાં એકઠા થયા.
સમય થયો ત્યારે ગાય આવી. તાપસ તેને પૂછડે વળગી ગયે. તેના બંને પગે એક શિષ્ય વળગ્યો, તે પ્રમાણે આખું ટોળું એક બીજાના પગે વળગી ગયું. ગાયા ઉડી, તે સાથે તે બધા ઉડ્યા.
આકાશમાર્ગે જતાં તેમાંથી એક શિષ્ય પૂછ્યું: “ગુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org