________________
૧૭૭
લાડવાની કથા લાગ્યો કે “કઈ હરામખોર મારી આ વાડીમાં ગાયને ચારી જાય છે.”
પછી રાત્રે હાથમાં એક મેટી ડાંગ લઈને સાવધાન થઈને તે જાગતો બેઠે. તેવામાં તે વાડીમાં આકાશમાંથી ઉતરીને એક ગાય લીલું ઘાસ તથા વેલાઓનું ભક્ષણ કરવા લાગી. તાપસ તે ગાયના પૂછડે વળગી પડ્યો. તે ગાય તરત જ પક્ષીની માફક આકાશમાં ઉડી; અને સ્વર્ગમાં રહેલા ફરતા કિલ્લાવાળા એક ઉંચા મહેલ પાસે તે તાપસ સહિત ગઈ.
પછી તે મહેલમાં વસનારી તે ગાયે તાપસને બોલાવીને કહ્યું કે “અરે તાપસ! હું કામધેનુ ગાય છું, આ મારું ઘર છે, સર્વ સ્થળેથી ફળ, ફૂલ, ધાન્ય, દૂધ વગેરે મને પુષ્કળ મળે તેવું છે, પરંતુ મારા સ્વભાવના લીધે બીજાના ખેતરમાં ચરવા જવાની ઈચ્છાથી રાત્રે તારી સુંદર લીલી વાડીની કુંજોમાં ચરવા માટે હું હમેશાં આવું છું; અને તારી વાડીમાં પત્ર તથા ફળાદિકનો હું સ્વાદ લઉં છું. તું હમેશાં મારે પૂંછડે વળગીને અહીં મારા મહેલમાં આવજે અને લાડવા ખાઈ જજે, અને હું હમેશાં તારી વાડીમાં આવીશ.”
આ પ્રમાણે કહીને તે તાપસને લાડવા ખવડાવ્યા. લાડવા ખાઈને તાપસ સંતુષ્ટ થયો અને બીજા દિવસે ત્યાં જ રહીને રાતના ગાયના પૂછડે વળગીને પિતાના મઠમાં આવી ગયે. પછી જ્યારે લાડવા ખાવાની ઈચ્છા થતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org