SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ કથામંજરી ગુલામે કહ્યું કે સ્વામી! કાખરી તા મરણુ પામી છે.” શેઠે પૂછ્યું કે: કેવી રીતે મૃત્યુ પામી?” ગુલામે કહ્યું કેઃ “ગધેડાનું માંસ ખાધું, તેનું અજીર્ણ થવાથી.” શેઠે પૂછ્યું કેઃ “ગધેડા ક્યારે મૃત્યુ પામ્યા ?’’ ગુલામે કહ્યું કે: ચિતા સળગાવવા માટે છાણાના ભારે લઇ જવાથી લેાહીની ઉલટી કરીને મૃત્યુ પામ્યા.” શેઠે પૂછ્યું કે: ‘“ચિતા કેમ સળગાવવી પડી?” ગુલામે કહ્યું કેઃ “હમીર નામના આપણા પુત્રના મરણથી.” શેઠે પૂછ્યુ’ કેઃ “હમીરનું મરણ શી રીતે થયું ?”” ગુલામે કહ્યું કે: “તેણે ઉજાગરા કર્યાં, તેથી તાવ આબ્યા, અને મૃત્યુ પામ્યા.” શેઠે પૂછ્યું કેઃ “ઉજાગરે શા માટે કર્યાં ?”” ગુલામે કહ્યું કેઃ “અમારી શેઠાણીને ઘણા વખતથી ક્ષયરાગ થયા હતા, વૈદ્યોએ ઘણા ઉપચાર કર્યાં, તે પણ વ્યાધિ મથ્યો નહિ; તેથી શેઠાણી મરણ પામ્યા, એટલે આખા કુટુંબને ઉજાગરા કરવા પડ્યો. તે પ્રસંગે માતા તરફની ભક્તિને લીધે અમારૂં કોઈનું વચન હમીરે ગણુકાર્યું નહિ; અને ઘણી રાતેા સુધી ઉજાગરા કર્યા, તેથી અગ્નિ મંદ થવાથી તેમને તાવ આવ્યે, અને મૃત્યુ પામ્યા.” શેઠે કહ્યું કેઃ “શું મારી પત્ની પણ મરણ પામી? અરે આ શું? આ શું?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005177
Book TitleKatha Manjari Part 01
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy