________________
એક નેકરની કથા
૧૬૭ ગુલામે કહ્યું કેઃ “હા, મરણ પામી.” પિતાના આખા કુટુંબના મરણ પામ્યાની હકીકત સાંભળીને શેઠ કપડાં ફાડવા લાગ્યો અને રોવા વગેરે રોકદર્શક કાર્યો કરવા લાગે. ગુલામ પણ તે જ પ્રમાણે કરવા લાગે.
એ જ વખતે ઉત્તમ વસ્ત્રો તથા દાગીના ધારણ કરીને પુત્ર વગેરે આખું કુટુંબ તે સ્વેચ્છને મળવા આવ્યું. બધાએ ઉચિત નમસ્કારાદિ કર્યા, મ્લેચ્છ તે બધાને દેખીને આનંદિત થયે.
શેકે ગુલામને પૂછ્યું કે “અરે ગુલામ! આવું બહુદુખ ઉત્પન્ન કરે તેવું અઘટિત તું કેમ છે ?”
ગુલામે કહ્યું કેઃ “સ્વામિન! મારા માલિકે ખરીદ કરતી વખતે જ આપને શું કહેલું છે તે યાદ છે કે નહિ? તેણે કહ્યું હતું કેઃ “આનામાં વાણને દેષ છે, બીજા સર્વ ગુણ છે.” તમે તે પ્રમાણે સમજીને જ મને રાખે છે. આજે તે વાતનો તમને સાક્ષાત્ અનુભવ થયે”
શેઠે ઘેર જઈને આવી દુષ્ટ વાણું બોલનાર ગુલામને કહાડી મૂક્યા.
ઘણુ માણસોને અમાંગલિક શબ્દો બોલવાની કુટેવ હોય છે. કોઈને કાંઈ નવું કાર્ય કરતાં દેખે કે શુકનમાં તે અમંગળ શબ્દો જ બોલે છે. આવી વારંવાર અશુભ વાણી બોલવાની ટેવ કદી રાખવી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org