________________
૧૬૨
સ્થામંજરી પછી તે રાત પૂર્વની માફક જ તે યુવાન હરિણાક્ષી પત્રલેખા સાથે પસાર કરી. સવાર થઈ એટલે તે અસલ ખોપરી લઈને તે જ નગરમાં રહેનારા પિતાના એક મિત્રને ઘેર જઈને તે રહ્યો; પત્રલેખાનું ઘર તેણે તજી દીધું. જગતના ચક્ષુ સમાન સૂર્યોદય થયો, ત્યારે અક્કાએ સ્નાન કરી, સુંદર વસ્ત્રો પહેરી, શરીરે વિલેપણ કરી, ખોપરીની પૂજા કરીને બમણાની આશાથી, તેણે પાંચસો સોનામહોરે માગી. એટલે તે ખોપરીએ કહ્યું કેઃ “એક હજાર ગ્રહણ કરો.”
કુદિનીએ પૂછ્યું કે “આનું શું કારણ?”
તે ખોપરીએ કહ્યું કે “હું તે ફક્ત બેલનારી છું, હું કાંઈ દ્રવ્ય આપનારી ખોપરી નથી.” કુટ્ટિનીને તે સાંભળીને બહુ જ પશ્ચાતાપ થયે.
પછી તે રજપુતને એક વખત બહુ જ મીઠા શબ્દો વડે તેણીએ બેલાબે, એટલે તેણે કહ્યું કે “હું તારી બધી વાત જાણું છું.” - કુદિનીએ કહ્યું કેઃ “હું કપટથી આખા જગતને છેતરું છું, પણ તે મને છેતરી.”
તે સાંભળીને રજપુતે કહ્યું કેઃ “શું તે સાંભળ્યું નથી કે રાક્ષસોને માથે પણ રાક્ષસ હોય છે અથવા શેરને માથે સવા શેર હોય છે.” આ પ્રમાણે કહીને તે ચાલ થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org