SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ કથામંજરી પુત્રો! આને ભેદ કહેવાથી તમને ભવિષ્યમાં બહુ દુઃખ થશે, માટે પૂછવું રહેવા દે.” પણ તેઓ તે તે વાતને જ આગ્રહપૂર્વક વળગી રહ્યા. પછી શેઠે પહેલાની વીતક કથાકુવામાં નાખવું, ફરીથી પતિને રંજન કરવું ને સંતાન થવા વગેરે હકીકત કહી સંભળાવી. આ વૃત્તાંત જાણીને તેઓનાં હૃદય શાંત થયા, લાંઘણ મૂકી અને જમ્યા. ત્યાર પછી કેટલાએક દિવસ વીતી ગયા. એક વખત બધા પુત્રોમાંથી એક પુત્રે માતાને પૂછ્યું કેઃ માતા! તે કોઈ દિવસ મારા પિતાજીને કુવામાં નાખ્યા હતા” બીજા કોઈ પાસે પ્રગટ નહિ થએલ આ ગુપ્ત વાતને ભેદ ખુલ્લે થવાથી તેણીનું અંતઃકરણ ઘવાયું. તેણીએ પુત્રને પૂછ્યું કે “વત્સ! તને આવું કોણે કહ્યું?” બાળસ્વભાવને લીધે તેણે બધી હકીકત કહી, અને કહ્યું કેઃ “અમારા અતિશય આગ્રહથી મારા પિતાએ આ હકીકત કહી છે.” મદનમંજરી તે વાત સાંભળીને જેમ લુંટાણી હોય અથવા મરવા પડી હોય તેમ હેબતાઈ ગઈ, અને ઘરમાં જઈને સૂઈ ગઈ. અત્યંત શરમ આવવાથી તેનું હૃદય ફાટી ગયું. આ પ્રમાણે એક પહોર વીતી ગયા. ભજન અવસરે તેને સૂતેલી જોઈને, તેના પતિએ તેની પાસે જઈને જોયું; તે ફાટી ગએલા હૃદયવાળી તે મરણ પામેલી લાગી. શેઠે કહ્યું કેઃ “મારી કહેલી ગુપ્ત વાતનો ભેદ પ્રગટ થવાથી તે મૃત્યુ પામેલી જણાય છે; અહે! હું જીવતાં છતાં પણ મરણ પામેલ છું. આવું સ્ત્રીરત્ન મને ફરીથી ક્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005177
Book TitleKatha Manjari Part 01
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy