________________
૧૫૩
પતિ જાગ્યા કરતા. તેની આ
વગર મીઠાં વા
એક દંપતીની કથા
તે પતિ જમ્યા પછી જમતી, સૂતા પછી સૂતી, પતિ જાગ્યા પહેલાં પથારી છોડી દેતી, તેમની મરજી મુજબ વર્તન રાખતી, તેની આજ્ઞા કઈ પણ વખત લેપતી નહિ. “હુકમ ફરમાવે, સુખેથી રહે” વગેરે મીઠાં વચન બેલતી હતી. આવી રીતે વર્તતાં તેમને અનુક્રમે ઘણો પરિવાર થયે, બંનેને બધે યશ ફેલાયે, કુળની વૃદ્ધિ થઈ. મકરધ્વજ પણ સુખેથી વ્યાપારાદિ કરવા લાગ્યો.
એક વખત મકરધ્વજના ખેતરમાં ઘણી ગાયે પસી ગઈ, અને જૂદા જૂદા ધાન્ય વગેરે ખાવા લાગી. તેના પુત્રોએ ઘણી મારી, પણ તે ખેતરમાંથી નીકળતી નહોતી. તેઓ થાકી ગયા અને પિતા પાસે આવી કહેવા લાગ્યા કેઃ આ ગાયોને તમે આવીને કાઢશે, કે જેથી તેઓ નીકળી જશે.”
શેઠે કહ્યું કે “પુત્ર! કહેવા કરતાં ન કહેવું તે જ ઉત્તમ છે.?
એક વખત પુત્રએ પૂછ્યું કેઃ “પિતાજી! આ વાક્ય વારંવાર કેમ બોલે છે. તેને શું અર્થ છે? તે કૃપા કરીને કહે. વારંવાર દરેક પ્રસંગે આપ એમ જ કહે છે. તેથી તેમાં કાંઈ પણ ગુઢાર્થ રહેલે જણાય છે, માટે તેનું મૂળ કારણ કહે.”
આમ કહેવા છતાં મકરધ્વજે તેનું મૂળ કારણ કહ્યું નહિ, તેથી તેઓ ઉપવાસ ઉપર ઉતરી ગયા. ઉપવાસ (લાંઘણ) કરતાં બે દિવસ થયા, ત્યારે શેઠે કહ્યું કેઃ “અરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org