________________
એક દંપતીની કથા
૧પપ મળશે? અને આ પાપનું નિવારણ કયાં જઈને હું કરીશ? હવે ઉચું મુખ રાખીને હું તેની પાસે જઈ શકીશ? શું હું કુવામાં પડું? કે પર્વત ઉપર ચઢીને પૃપાપાત કરું!” આ પ્રમાણે બેલતો તે બેભાન થઈ ગયા. શીત ઉપચાર કરવાથી તેને ભાન આવ્યું, ત્યારે તે ઉચ્ચ સ્વરે રેવા લાગે.
પુત્રે બધા એકઠા થઈ ગયા. પિતાજીને રૂદન નહિ કરવા માટે તેઓ વિનંતી કરવા લાગ્યા. ત્યારે મકરધ્વજ બોલ્યો કેઃ “મૂર્ખાઓ! તમારા હાથે જ આ તમારી માતાની હત્યા થઈ છે. તમે અતિશય આગ્રહ કરીને, અમારી ગુપ્ત વાત ખુલ્લી કરાવી, તેના પાપવડે હું ખરડાએલું છું, અને તમે તમારા આત્માને પણ પાપમાં સામેલ કર્યો છે. જે તમારામાં શક્તિ હોય તો આને જીવાડે. તે બહુ જ શરમાળ હતી, તેથી ખાનગી વાત ખુલ્લી થઈ જવાથી તે મૃત્યુ પામી છે. હું હજુ માયાવી છું કે આંસુ પાડું છું, પણ મરી જતો નથી.” આ પ્રમાણે કહીને તે સર્વને છેડી દઈને કેઈ તીર્થસ્થાને ચા ગયો. છેકરાઓએ માતાની ઉત્તરક્રિયા વગેરે કરીને ધીમે ધીમે શાકને તજી દીધે, અને ધર્મ આચરીને સ્વર્ગ ગયા.
કોઈની પણ ખાનગી વાત જાણતા હોઈએ તે પ્રગટ કરવી નહિ. કોઈની ખાનગી વાત ખુલી કરવી, એના જેવું જગતમાં બીજું કઈ મોટું પાપ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org