________________
એક વૃતારાની કથા
૧૩૩ શઠ બુદ્ધિવાળે અસત્યને પણ સત્ય કરી દેખાડે છે. ચિતારો, ઉંચું, નીચું, સર્વને સરખું કરે છે. પાણીને ઘડે ફેડેલ દેખીને તે વાતનો વિશ્વાસ આવ્યું. એટલે શપૂર્ણ માં કરીને તેની રાહ જોતી બેઠી. તે દંપતી જળથી ભીંજાએલ કેશ, તથા વસ્ત્ર સહિત આવ્યા. તેમને સ્નાન કરીને આવતાં દેખીને તેમને ગળે વળગીને શેઠની બેન રોવા લાગી. તેઓએ પણ રેવાનું શરૂ કર્યું.
તેઓએ વિચાર્યું કે બેનના સાસરીયામાં ખરેખર કાંઈ અનિચ્છનીય બનાવ બન્યો હશે, તેથી તે દુઃખથી દુઃખી થતી તે આપણી પાસે આવીને રૂદન કરે છે.” રોતાં રોતાં ત્રણેને અવાજ બેસી ગયો ત્યાં સુધી રોયા. પેલો ધૂતારો ઊભા ઊભે હસતે હતે.
રોતાં રેતાં બધાં નીચે બેઠા. બેને પૂછયું કે “કેણ મરણ પામ્યું છે.”
તેઓએ પૂછયું કેઃ “તારા સાસરીયામાં કેણ મરણ પામ્યું છે?”
તેણીએ કહ્યું કે “મારા સાસરીયામાં તે સર્વ કુશળક્ષેમ છે, કઈ મરણ પામ્યું નથી.”
શેઠે પૂછયું કેઃ “ત્યારે તું કેમ રેતી હતી?”
બેને કહ્યું કે “તમને શોકમગ્ન તથા સ્નાન કરેલા દેખીને હું રોતી હતી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org