________________
૧૨૬
કથામંજરી બ્રાહ્મણીને ખૂબ ક્રોધ ચડ્યો, અને એક સળગતું લાકડું ચૂલામાંથી લઈ તેને મારવા તે દેડી. તેની બીકથી તે બ્રાહ્મણ તે સ્થળેથી નાશી ગયે. તેણી પણ હાથમાં બળતું લાકડું લઈને ઘણા વખત સુધી તેની પછવાડે દેડી. પછી પાછી વળીને તે પિતાના ઘેર આવી.
તે પછવાડે આવે છે તે વિચાર કરતે તે બ્રાહ્મણ તે તેની બીકથી દોડતો દોડતે નગરના કિલ્લાને ફરતી બાંધેલી ખાઈના મધ્યભાગમાં પસી ગયે. તે વખતે સૂર્યાસ્ત થયા. અંધારું થયું તેથી તેને ઉંઘ આવવા માંડી, અને તે બ્રાહ્મણ તે તે સ્થળે ઉંધી ગયે. રાત ચાર ઘડી બાકી રહી, ત્યારે તે નગરમાં ચોરી કરીને કેઈ ચારે તે ખાઈમાં આવ્યા.
ઘણા વખત પહેલાં ભજન કરેલું હોવાથી તેઓ બહુ ભૂખ્યા થઈ ગયા હતા. એક ચિરની પાસે ભાતામાં નાળીએર હતું. તે ફોડવા માટે તેઓ પથરે શોધતા હતા. તે વખતે તે ઉંઘતા બ્રાહ્મણનું માથું તેઓના હાથમાં આવ્યું. ખાઈને મધ્યભાગ અને રાત્રી, તેથી અંધારાને લીધે તે માથાને માટે પત્થર જાણીને તેઓએ નાળીએર વધેરવા માટે માથા ઉપર પછાડ્યું.
તેના આઘાતથી તે બ્રાહ્મણ જાગી ગયો. અને વિચારવા લાગ્યું કે “ખરેખર! રાબ નહિ ખાવાથી ક્રોધમાં આવેલ મારી પત્ની હાથમાં સળગતું લાકડું લઈને આવેલ છે, અને તેણે જ મને આ ઘા માર્યો જણાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org