________________
૧૦૨
થામંજરી માટે મૂકેલા દીવામાંથી તેલ લઈને પગરખાને પડતી તેણે દીઠી. તેને દેખીને ભય લાગે, અને આશ્ચર્ય પણ થયું. પછી ધીરજ રાખીને તેણે તે શ્યામ વેષધારી બાધિકાને પૂછ્યું કે “હે ભદ્ર! તું કોણ છે? અને તું જેડાને તેલ શા માટે ચોપડે છે?”
તે સાંભળીને અટ્ટહાસ્ય પૂર્વક તે બોલી કે “અરે બ્રાહ્મણ! જે આ ઘરને સ્વામી છે, તેની હું અધિગના છું. હું દારિદ્રય છું. તે દેશાંતર જાય છે, તેથી તેની સાથે જવાને જોડીને તેલ લગાડીને હું તૈયારી કરું છું” આવું સાંભળીને બ્રાહ્મણે વિચાર્યું કેઃ “બીજા દેશમાં પણ જે દારિદ્રય સાથે આવે, તે પછી આ સ્થાન છેડવાથી શું ફાયદ?” આ વિચાર કરીને તે કુટુંબ સહિત પાછો વળીને ઘેર આવ્યા.
ગમે તે રથળે જઈએ પણ ભાવી મિથ્યા થતું નથી. જ્યારે ભાગ્ય દશા ઉલટી હોય, ત્યારે ધીરજ રાખી જે કાંઈ પ્રાપ્તિ થાય તેમાં સંતોષ રાખવે અને હિંમત ન હારવી તે જ ખરું ડહાપણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org