________________
કાગડાની કથા કુળમાં જ ઉત્પન્ન થએલી હોય, તેથી અન્ય કુળમાં ઉત્પન્ન થએલી આ હિંસી મારી જ પત્ની છે.”
આ પ્રમાણે સાંભળીને એકઠા થએલા ગામના લેકે બોલ્યા કે “કાગડો જ હંસીને ખરો પતિ છે, અમે નાના હતા ત્યારથી તેને દીઠેલ છે.” આવા કાનને ઘાત થાય તેવાં કર્કશ વચને સાંભળીને હંસ તથા હંસી બંને આંખમાંથી આંસુ પાડવા લાગ્યા. તે સાથે કાગડો પણ આંસુ પાડવા લાગે. તે દેખીને ગામનાં લોકે આશ્ચર્ય પામ્યા અને કાગડાને પૂછ્યું કે અરે કાગડા ! અમે હંસીને તારી સ્ત્રી ઠરાવી; તેથી હંસ તે રૂદન કરે અને તેની ઉપરના રાગને લીધે, વિયેગ થવાથી આ હંસી પણ રૂવે તે તે ઠીક, પરંતુ તે તે વાદમાં જીત્યો છે, છતાં આવાં મુક્તાફળ જેવાં આંસુ કેમ પાડે છે.”
તે સાંભળીને કાગડો બેલ્યો કેઃ “અરે ભાઈ! તમારા જેવા ખોટી સાક્ષી આપનારની મરણ પામ્યા પછી શું ગતિ થશે તે વિચારથી હું રૂદન કરું છું. એક ત્રાજવામાં અસત્ય સાક્ષીનું પાપ અને બીજા ત્રાજવામાં બીજું બધું પાપ રાખીએ; અને બંને તોળીએ તે અસત્યનું પાપ ઘણું વધી જાય છે.”
પછી રાજહંસ તરફ જોઈને તેણે કહ્યું કેઃ “હે પક્ષીરાજ! તમે જાઓ, તમારી પત્ની તે મારી સ્વામીની છે, માતા છે, મેં તે આ જૂઠું બેલેનારાઓનું નાટક તમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org