SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ટી પોપટની કથા બરાબર ગ્રહણ કર. “અજાણ્યાને કોઈ દિવસ વિશ્વાસ કરીશ નહિ, ગુપ્ત વાત સ્ત્રીને કહેવી નહિ, મૂળ વસ્તુનું રક્ષણ કરવા ધનને વ્યય કર, વિરોધને મૂળથી ત્યાગ કરે, મહાજનને રાજી રાખવું, ગુરુને દુભાવવા નહિ, કરવા લાયક કાર્યમાં આળસ કરવી નહિ, સાચું કહેનાર શત્રુને પણ ખોટું આળ દેવું નહિ, કેઈની પણ ગુરૂવાત પ્રગટ કરવી નહિ, ખુશામતીયાઓને વિશ્વાસ કરે નહિ, વેશ્યા અને ગણિકાઓની સોબત કરવી નહિ, સ્ત્રી અને પુત્રને આધિન ધન કરવું નહિ, ગ્રહણ કરેલ વ્રત મુશીબતમાં પણ મૂકવું નહિ, દાન આપ્યા વગરને એક દિવસ ખાલી જવા દેવો નહિ.” કેદારકે આ બધું કબુલ કર્યું. શેઠે પોપટને બેલા અને કહ્યું કેઃ “હે શકરાજ!” જે મારો આ પુત્ર કુમાર્ગમાં પ્રવર્તે તે તારે તેને નિષેધ કરે.” વળી પુત્રને ફરીથી કહ્યું કે “ક્લારે આ શુકનું વચન અવિશ્વાસથી સાંભળવું નહિ; પણ તે કહે તેને બરાબર વિચાર કરવો.” પુત્રે તે કબુલ કર્યું. ત્યાર પછી શેઠ મરણ પામે. શેઠના મરણને બે ત્રણ વર્ષ વીતી ગયા પછી એક વખતે ગામમાં ફરતાં શેઠના પુત્ર કેદારકે કામ પતાકા નામની સુંદર વેશ્યાને જોઈ, અને તેના પર આસક્ત થયા. પછીથી તે મોટાભાગે વેશ્યાના ઘેર જ રહેવા લાગ્યો. એક દિવસ જ્યારે તે ઘેર આવ્યા, ત્યારે પિપટે ઠપકે આ કેઃ “આટલા વખત સુધી કયાં રોકાણ હતા? હે ભાઈ! પિતાએ કહેલાં ઉપદેશનાં વચને વિસરશે નહિ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005177
Book TitleKatha Manjari Part 01
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy