________________
વરેના હૃદયંગમ ઉગારે રૂપી મૌક્તિકેની હારમાળાઓમાંના વીખરાએલા કેટલાક મૌક્તિકોને સંગ્રહ છે.
સક્ઝાય એટલે સ્વાધ્યાય, સ્વાધ્યાયમાં મુખ્યત્વે કરીને કષાયાદિથી નિષ્પન્ન થતા અનિષ્ટ પરિણામેનું, દાન, શીલ, તપ અને ભાવ, રૂપી ચાર પ્રકારના ધર્મના સેવનથી થતા લાભનું અને દાનાદિ ચાર પ્રકારના ધર્મનું સેવન કરનારા પુણ્યપુરૂષોના ઉત્તમ ગુણેનું વર્ણન હોય છે. પ્રતિક્રમણમાં જ્યારે કેઈ મુનિ મહારાજ મધુર સરોદે સઝાય ગાય છે, ત્યારે તેમાંથી રચનારની કાવ્યચાતુર્યતા અને બોલનારની પવિત્રતા નિર્ઝરે છે. આવાં મૌક્તિકો સમાજની મોંઘી સંપત્તિ છે, પરંતુ જનતાની તે તરફની ઉપેક્ષા જે દૂર થઈ જાય તે આવા આવા દસ બાર ભાગો થઈ શકે તેટલી સાહિત્ય સામગ્રી તે હજુ અપ્રસિદ્ધ રૂપે ગુજરાતના જૈન ભંડારોમાં તેને પ્રકાશિત કરનારની વાટ જોતી પડી રહેલી છે, જે સાનુકુળતા હશે તે દર વર્ષે આવું એકાદું પ્રકાશન પ્રસિદ્ધ કરીને જનતા સમક્ષ મૂકવાની મારી ઈચ્છા છે, પરંતુ તેનો બધો આધાર જનતા આજ સુધી મારી સાહિત્ય પ્રવૃત્તિને જે રીતે પ્રોત્સાહન આપતી રહી છે, તે રીતે પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખે તે ઉપર નિર્ભર છે. ઋણ સ્વીકાર
આ પુસ્તકમાં આપવામાં આવેલા ચિત્રો પૈકી આર્યસ્કૂલિભદ્ર અને સાત બહેનો તથા રથિકકલા અને કોશાનૃત્ય, એ બે સેનેરી ચિત્રોનો બ્લોકો વાપરવા આપવા માટે શેઠ દેવચંદ લાલભાઇ જૈન પુસ્તકોદ્ધાર ફંડના ટ્રસ્ટીઓને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org